એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)થી રૂ. 600 કરોડ એકત્રિત કર્યા
ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે જાહેરાત કરી છે કે તેણે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)માંથી રૂ. 600 કરોડથી વધુ એકત્ર કર્યા છે.
મુંબઈ : ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે જાહેરાત કરી છે કે તેણે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)માંથી રૂ. 600 કરોડથી વધુ એકત્ર કર્યા છે. ફંડ 28મી નવેમ્બર 2023ના રોજ ખુલ્યું હતું અને 04મી ડિસેમ્બર 2023ના રોજ બંધ થયું હતું. ક્રિસિલ અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેટ ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરાયેલ, તે મધ્યમ વ્યાજ દરના જોખમ અને મધ્યમ ધિરાણ જોખમ સાથે ક્લોઝ એન્ડેડ ડેટ સ્કીમ છે. સચિન જૈન તેના ફંડ મેનેજર છે.
હાઇ-ક્વોલિટી મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ફેલાયેલ વર્તમાન યિલ્ડ કર્વ અને પ્રવર્તમાન માર્કેટ સેન્ટિમેન્ટ્સ ટૂંકા ગાળાના પાર્કિંગ સોલ્યુશન્સ શોધી રહેલા ફિક્સ્ડ ઇન્કમ રોકાણકારો માટે એક આદર્શ તક આપે છે.
ફિક્સ્ડ ટર્મ પ્લાન્સ (એફટીપી) ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે જેમ કે ટ્રેઝરી બિલ્સ (ટી-બિલ) કોમર્શિયલ પેપર્સ (સીપી), સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ (સીડી), સરકારી અને કોર્પોરેટ બોન્ડ્સ. ફંડ મેનેજર વિવિધ ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ (જે સ્કીમની મેચ્યોરિટી પર અથવા તે પહેલાં મેચ્યોર થાય છે) વચ્ચે શ્રેષ્ઠ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ પ્રાપ્ત કરવાના પ્રયાસ સાથે સ્કીમની એસેટ્સ ફાળવે છે. રોકાણકારોને સિક્યોરિટીઝની ગુણવત્તા અને સંકળાયેલા જોખમો અંગે માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવવા માટે, એફટીપી એવા ઇન્સ્ટ્રુમેન્સ જાહેર કરે છે જેમાં તેઓ ઇચ્છિત એલોકેશન ટેબ હેઠળ રોકાણ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ બી. ગોપકુમારે જણાવ્યું હતું કે, “ફંડને મળેલો મજબૂત પ્રતિસાદ ભારતીય મની માર્કેટ સ્પેસમાં હાલમાં ઉપલબ્ધ તકોને દર્શાવે છે. ફિક્સ્ડ મેચ્યોરિટી પ્રોડક્ટ્સનો ઉદ્દેશ્ય રોકાણકારોને સ્થિરતા પ્રદાન કરવાનો છે કારણ કે અમે ચોથા ત્રિમાસિક ગાળામાં આગળ વધીએ છીએ, જે ઘણીવાર ડેટ માર્કેટ માટે અસ્થિર સમયગાળો હોય છે. આગામી યુએસ ફેડ જાહેરાત, એડવાન્સ ટેક્સ સિઝન અને 2024 માટે યુનિયન બજેટ જેવી કેટલીક ઘટનાઓ આગામી 3 મહિનામાં દરોને અસ્થિર રાખે તેવી શક્યતા છે. અમે જે ઝડપે ફંડનું ભંડોળ ઊભું કર્યું છે તે અમારા રોકાણકારો અને ભાગીદારોનો અમારામાં રહેલો વિશ્વાસ અને ફિક્સ્ડ ઇન્કમ માર્કેટની સંભાવના દર્શાવે છે.”
For more information, please visit www.axismf.com
પીયૂષ ગોયલે યુકેની ચૂંટણી પછી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પ્રગતિની ખાતરી આપી છે જ્યારે ભારત-EU વેપાર વાટાઘાટોને આગળ વધારીને, ભારતના આર્થિક વિકાસને મજબૂત બનાવશે.
ભારતમાં, સામાન્ય માણસ પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી સરકારી બચત યોજનાઓમાં નાની બચત કરવાનું પસંદ કરે છે. બજેટ પહેલા જ સરકારે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જાણો કઈ સ્કીમ પર સરકાર કેટલું વ્યાજ આપશે...
જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે.