આયુષ્માન ખુરાનાના હાથ લાગી સૌરવ ગાંગુલીની બાયોપિક
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલીની બાયોપિકમાં જોવા મળવાનો છે
Sourav Ganguly Biopic: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સૌરવ ગાંગુલીની બાયોપિકને લઈને દિવસેને એક યા બીજા અહેવાલો સામે આવી રહ્યા છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના સૌરવ ગાંગુલીની બાયોપિકમાં જોવા મળવાનો છે. રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સે તેને આ માટે કાસ્ટ કર્યો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રણબીર કપૂર સૌરવ ગાંગુલીની બાયોપિકમાં જોવા મળવાનો છે. જોકે રણબીરે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેને આ અંગે કોઈ જાણકારી નથી.
પીપિંગમૂનના અહેવાલ મુજબ લવ ફિલ્મ્સ સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવવા માટે તૈયાર છે. આ માટે મેકર્સ એક્ટર આયુષ્માન ખુરાના સાથે સતત વાતચીત કરી રહ્યા છે. એક સૂત્રએ તેના વિશે જણાવ્યું કે, મેકર્સ છેલ્લા ઘણા મહિનાઓથી આયુષ્માનના સંપર્કમાં છે.
આ અંગે અત્યાર સુધી ઘણી વખત ચર્ચા થઈ છે. મેકર્સનું માનવું છે કે આયુષ્માન ખુરાના સૌરવ ગાંગુલીનું પાત્ર સારી રીતે ભજવશે. સૌરવ ગાંગુલીએ પણ આ બાયોપિક માટે આયુષ્માનની કાસ્ટિંગને મંજૂરી આપી દીધી છે. દાદા ટૂંક સમયમાં આયુષ્માનને મળવાના છે. ખબર છે કે શૂટિંગ પહેલા આયુષ્માને પહેલા ક્રિકેટની ટ્રેનિંગ લેવી પડશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મને ઐશ્વર્યા રજનીકાંત ડિરેક્ટ કરવા જઈ રહી છે.
પુષ્પા-2 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. અલ્લુ અર્જુનની ફિલ્મને લઈને ભારે ચર્ચા છે. શરૂઆતમાં આ પિક્ચર 15 ઓગસ્ટે રિલીઝ થવાનું હતું, પરંતુ કામ પૂરું ન થવાને કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી.
ભારતીય સુપરસ્ટાર અને ગ્લોબલ આઇકન શાહરૂખ ખાનને લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલની 77મી આવૃત્તિમાં ફેસ્ટિવલના કરિયર અચીવમેન્ટ એવોર્ડ, પ્રતિષ્ઠિત પાર્ડો અલા કેરીએરા એસ્કોના-લોકાર્નો ટુરિઝમથી સન્માનિત કરવામાં આવશે.
વાશુ અને જેકી ભગનાનીનું પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટ આ દિવસોમાં મુશ્કેલીમાં છે. તાજેતરમાં, વાશુ અને જેકીને ક્રૂના પગાર અટકાવવા અને રૂ. 250 કરોડની લોનની અફવાઓને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો