બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા
10મી મેની અસરથી બજાજ ફાઇનાન્સ વરિષ્ઠ નાગરિકોને 44 મહિનાના વિશેષ ગાળા માટે વાર્ષિક 8.60 ટકાના ફિક્સ્ડ ડિપોઝીટ વ્યાજ દરો ઓફર કરે છે
ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર નાણાંકીય સેવાઓ પૂરી પાડતા ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડની ધિરાણ આપતી શાખા બજાજ ફાઇનાન્સે આજે તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સ સુધીના વધારાની જાહેરાત કરી છે, જેના થકી 44 મહિનાના વિશેષ સમયગાળા માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.60 ટકા સુધીનો વ્યાજ દર મળશે.
નવા દરો 10 મે, 2023 થી અમલમાં છે, જેમાં 36 મહિનાથી 60 મહિનાની પરિપક્વતા સાથેની થાપણો પર 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. 60 વર્ષથી ઓછી ઉંમરના થાપણદારો વાર્ષિક 8.05 ટકા સુધી કમાઈ શકે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો વાર્ષિક 8.30 ટકા સુધી કમાણી કરી શકે છે. બજાજ ફાઇનાન્સ એફડી પરના સુધારેલા દરો નવી થાપણો અને રૂ. 5 કરોડ સુધીની પાકતી થાપણોના નવીકરણ પર લાગુ થશે.
બજાજ ફાઇનાન્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ-ફિક્સ્ડ ડિપોઝીટ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ શ્રી સચિન સિક્કાએ જણાવ્યું હતું કે, એફડીમાં વ્યાજ દરમાં વધારો થવાથી તેમને રોકાણનો પસંદગીનો વિકલ્પ બન્યો છે. એફડી પર ફુગાવાના દરને મ્હાત કરતા બજાજ ફાઇનાન્સના વ્યાજ દરો ગ્રાહકોને થાપણો પર વધુ વળતર મેળવવા સક્ષમ બનાવવા સાથે રોકાણનો સલામત વિકલ્પ આપે છે.
થાપણદારો અમારી ડિજિટલ માધ્યમ દ્વારા થોડી જ મિનિટોમાં ફિક્સ્ડ ડિપોઝીટ મૂકી શકે છે. ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયા એફડી મૂકવાને અત્યંત અનુકૂળ અને ઝડપી બનાવે છે. બજાજ ફાઇનાન્સ દેશની મોટી નાણાંકીય સંસ્થાઓમાં શ્રેષ્ઠ દરો ઓફર કરે છે.
ડિજિટલ માધ્યમ દ્વારા રોકાણકારોને બચતને અલગ રાખવા અને વધારવા માટે સુરક્ષિત અને સરળ માર્ગ પ્રદાન કરે છે. તેની ઓમ્નીચેનલ વ્યૂહરચનાનાં ભાગરૂપે, BFL ગ્રાહકોને તેની એપ, વેબ, બ્રાન્ચ અને સમગ્ર દેશમાં 4000 સ્થળોએ વિતરકો દ્વારા કંપની સાથે એફડી મૂકવા માટે મલ્ટિ-ચેનલ વિકલ્પો પ્રદાન કરે છે. વધુમાં, બજાજ ફાઇનાન્સ તેની ઇન્વેસ્ટમેન્ટ માર્કેટપ્લેસ એપ દ્વારા દેશના તમામ મ્યુચ્યુઅલ ફંડ્સની એક્સેસ પણ આપે છે, જે રોકાણકારોને પસંદગી માટે રોકાણ વિકલ્પોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.