ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સ ઓડિશા ટ્રેન અકસ્માત પીડિતો માટે ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવે છે
ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશાના બાલાસોરમાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં અસરગ્રસ્ત પરિવારો માટે ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક સમર્પિત પહેલ શરૂ કરી છે.
ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશાના બાલાસોરમાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં અસરગ્રસ્ત પરિવારો માટે ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક સમર્પિત પહેલ શરૂ કરી છે. પરિસ્થિતિની તાકીદને જોતાં આ પોલીસી ક્લેઈમ્સના તાત્કાલિક નિરાકરણની ખાતરી કરવા માટે મૃત્યુ અને અપંગતાના ક્લેઈમ્સ માટે સુવ્યવસ્થિત અને ઝડપી સેટલમેન્ટ પ્રોસીજર મૂકવામાં આવી છે.
ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે એક સરળ ક્લેઈમ પ્રોસીજર અમલમાં મૂકી છે જેમાં ઓછામાં ઓછા દસ્તાવેજોની જરૂર છે. નીચે સૂચિબદ્ધ દસ્તાવેજો છે જે નોમિની, કાનૂની વારસદાર અથવા પોલીસીધારકોએ દાવાની પ્રક્રિયા માટે ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સને સબમિટ કરવાની રહેશે:
- ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સ ઓડિશા ટ્રેન અકસ્માત દુર્ઘટનાને કારણે વીમાધારક સભ્યનું મૃત્યુ દર્શાવતા કોઈપણ માન્ય રેકોર્ડ/પ્રૂફ સ્વીકારશે.
- ક્લેઈમ ધારકનું સ્ટેટમેન્ટ (નોમિની દ્વારા ભરવાનું રહેશે) નોમિનીની બેંક વિગતો સાથે - https://www.bhartiaxa.com/claims પર સબમિટ કરવાની રહેશે.
- સરકાર દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી, નોમિનીનું એડ્રેસ પ્રૂફ અને નોમિની સાથેના સંબંધનો પુરાવો ક્લેઈમ ફાઇલ કરતી વખતે સબમિટ કરવાનો રહેશે.
-વધુમાં નોમિની/કાનૂની વારસદારોએ નીચેના ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સ અધિકારીઓને ક્લેઈમની જાણ કરવી આવશ્યક છે:
• સૌભાગ્ય રંજનબેહેરા - soubhagya.ranjanbehera@bhartiaxa.com
• કૌશિક સાન્યાલ - koushik.sanyal@bhartiaxa.com
• અરિજીત પ્રસાદ રોય - arijitprasad.roy@bhartiaxa.com
• ક્લેઈમ્સ વિભાગ - lifeclaims@bhartiaxa.com
કોઈપણ વધુ પૂછપરછ માટે પોલીસીધારકો ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સના ટોલ ફ્રી નંબર 1800-102-4444 પર સંપર્ક કરી શકે છે. વૈકલ્પિક રીતે ક્લેઈમ દાખલ કરવા માટે તેઓ ભારતી અક્સા લાઇફ બ્રાન્ચની મુલાકાત લઈ શકે છે જે પહેલો માળ, આસિસ પ્લાઝા, ઓ ટી રોડ, પોલીસ લાઈન સ્ક્વેર પાસે, બાલાસોર, ઓડિશા – 756001 પર સ્થિત છે.
ભારતી અક્સા લાઈફ ઈન્શ્યોરન્સના ડિજિટલ અને ઓનલાઈન સેલ્સ હેડ અને ચીફ કસ્ટમર ઓફિસર શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે "અમે આ મુશ્કેલ સમયમાં બાલાસોર રેલ દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોની સાથે છીએ. અમારા નિષ્ઠાવાન સમર્થનમાં ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના બોજને હળવો કરવા માટે, અમે ક્લેઈમ્સની પ્રક્રિયાને સરળ બનાવી છે અને આશા રાખીએ છીએ કે આ સુવ્યવસ્થિત અભિગમ જરૂરિયાતમંદ લોકોને થોડોક આરામ અને સહાય પૂરી પાડશે. ભારતી અક્સા લાઈફ પર અમે અસરગ્રસ્ત ગ્રાહકોને શ્રેષ્ઠ નાણાંકીય રાહત આપવા માટે સતત કામ કરી રહ્યા છીએ.
ભારતી અક્સા લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા કેપિટલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વીમા કંપનીએ અસરગ્રસ્ત લોકો માટે માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે એનજીઓ ઓક્સફેમ ઈન્ડિયા સાથે પણ ભાગીદારી કરી છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.