ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે 30 કરતાં વધુ બસોનું થઈ રહેલું સંચાલન
શ્રદ્ધાળુઓને દેવમોગરા સુધી જવા અને પરત આવવા માટે સેલંબા, દેડીયાપાડા અને નેત્રંગ ખાતેથી વધારાની ટ્રીપો દોડાવાઈ રહી છે.
રાજપીપલા : આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી પાંડુરી માતાના દર્શન અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.
શિવરાત્રીથી શરૂ થઈને પાંચ દિવસ સુધી યોજાતા આ મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. ત્યારે માતાજીના મંદિર સુધી શ્રદ્ધાળુઓને પહોંચવામાં અને પરત ઘરે જવામાં કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી ભરૂચ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી દ્વારા શ્રદ્ધાળુઓ માટે વધારાની ટ્રીપોનો સંચાલન કરવામાં આવે છે.
આ વર્ષે એસ.ટી નિગમ દ્વારા કુલ-૩૦ કરતાં વધુ બસોને મુસાફરોની જરૂરિયાત મુજબ દોડાવવામાં આવી રહી છે. આ તમામ બસોનું દેડીયાપાડા, સેલંબા અને નેત્રંગ ખાતેથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. નાગરિકો પણ મોટી સંખ્યામાં એસ.ટી બસોની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
શ્રદ્ધાળુઓને ખૂબ સુરક્ષિત અને સરળતાથી એસ.ટી બસ દ્વારા દેવમોગરા સુધી લઈ જવામાં આવે છે અને પરત તેમના નજીકના સ્થળે એટલે કે સેલંબા દેડીયાપાડા અને નેત્રંગ ખાતે ડ્રોપ કરવામાં આવી રહ્યા છે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.