લીમખેડા રવિવારી હાટ બજારમાં ટીબી મુકત ભારત અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો
લીમખેડા હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ક્ષય રોગ વિશે જાગૃતિ લાવવા અને લોકોને રોગ માટે પરીક્ષણ અને સારવાર કરાવવા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું.
(પ્રતિનિધિ દિપક રાવલ)દાહોદ: પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા હાટ બજારમાં ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. મા.રાષ્ટ્રપતિ દ્વારા 9 મી સપ્ટેમ્બર 22 ના રોજ શરૂ કરેલ કાર્યક્રમ ની પ્રથમ વર્ષગાંઠ ની ઊજવણી ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સી.એમ મછાર ના માગૅદશૅન હેઠળ લોક જાગૃતિ માટે લીમખેડા હાટ બજાર વિસ્તાર માં ભવાઇ નું આયોજન કરવામાં આવ્યું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.