આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા સ્કીનીંગ ચેક અપનું આયોજન
આશીર્વાદ ફાઉન્ડેશન સંસ્થાપક આર.એસ. પટેલ સાહેબ, આશીર્વાદ મેડીકલ સેન્ટરના ડીરેક્ટર શ્રીમતી હીનાબેન જરીવાલા, શ્રીમતી પારુલ પ્રજાપતિ અને કોર્ડીનેટર શ્રીમતી દર્શના તેરૈયાના સહયોગથી લાભાર્થીઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૮-જુલાઈ ૨૦૨૪ ના રોજ GHCL ફાઉન્ડેશન તથા આશીર્વાદ ફાઉન્ડેશન રાજુલા હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશન સંસ્થાપક શ્રી આર.એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડીકલ સેન્ટરના ડીરેક્ટર શ્રીમતી હીનાબેન જરીવાલા, શ્રીમતી પારુલ પ્રજાપતિ અને કોર્ડીનેટર શ્રીમતી દર્શના તેરૈયાના સહયોગથી લાભાર્થીઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
આ વર્ષે, ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે ગુજરાત પોલીસના 21 કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. પરંપરા મુજબ, સરકારે જાહેરાત કરી છે કે બુધવારે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા, ઉદાહરણરૂપ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. આ વર્ષે, પોલીસ, ફાયર, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1,037 કર્મચારીઓને વીરતા અને સેવા ચંદ્રકો પ્રાપ્ત થશે.
જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.
ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી અને પ્રવાસન-સાંસ્કૃતિક સંબંધો વધારવા ઉત્સુકતા દર્શાવી.