બર્ક ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા
વર્ષોથી કોરોના પુર જેવી ગમે એ મુસીબતનાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા બર્ક ફાઉન્ડેશન નાં સંચાલકોની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે, હાલની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા બર્ક ફાઉન્ડેશનની ટીમ તુરતજ જરૂરિયાતમંદોની મદદે દોડી.
ભરત શાહ દ્વારા - રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલમાં જ નર્મદા ડેમ માંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક પરિવારો બેઘર બન્યા અને અનેક લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા ત્યારે આ બાબતની જાણ બર્ક ફાઉન્ડેશનને થતા તેમની ટીમ તુરત કામે લાગી અને જિલ્લના અનેક જરૂરિયાતમંદ લોકો પાસે પહોંચી તેમને ફૂડ પેકેટ આપી માનવતા નું કામ કર્યું હતું.
બર્ક ફાઉન્ડેશન તરફથી જ્યોર્જભાઈ માયાબેન મારીયા બેન મધુબાલાબેન,જયેશભાઇ,સાર ઉપસ્થિત રહી નર્મદા જિલ્લાના અકતેશ્વર અને સાંજરોલી ગામમાં 280 ફૂડ પેકેટ, ઇન્દ્રવર્ણા અને વાસલા ગામમાં 56 પેકેટ અને ગરડેશ્વર ચોકડી પર 50 ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા સાથે રાજપીપળા બસ સ્ટેન્ડ, કાલાઘોડા, જકાતનાકા પાસે અટવાયેલા મુસાફરોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા આમ ગમે તે સંકટ સમયમાં બર્ક ફાઉન્ડેશનનાં સભ્યો હંમેશા લોકસેવા કાર્યમાં આગળ આવતા હોય છે માટે તંત્ર એ પણ તેમની વર્ષોની કામગીરીથી પ્રભાવિત થઈ આવા કટોકટીનાં સમયે બર્ક ફાઉન્ડેશનને સેવાકીય કામગીરી સોંપે છે.
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યા પછી, સુરત આ પ્રતિષ્ઠિત દરજ્જાને જાળવી રાખવાની સતત જવાબદારીનો સામનો કરે છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર સ્વચ્છતાનું દીવાદાંડી બની રહે તે માટે સક્રિયપણે ભાગ લીધો છે.
સુરેન્દ્રનગરના પરલી ગામમાં પિતાએ પોતાની પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઇજા પહોંચાડી, ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી જવાની કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કે. કૈલાશનાથન, તેમના નિવૃત્ત મુખ્ય અગ્ર સચિવ, 2006 થી તેમની અનુકરણીય સેવા બદલ સન્માન કરે છે. કૈલાશનાથનની પ્રભાવશાળી કારકિર્દી અને યોગદાન વિશે જાણો.