ખાનગી શાળાને બાય બાય કરી ૪૬૬ બાળકોએ સરકારી પ્રાથમિક શાળાઓમાં લીધો પ્રવેશ
નર્મદા જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે વાલીઓનો વિશ્વાસ વધ્યો છે, આ વાતની સાબિતી આપતા ૪૬૬ બાળકોએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કરાયેલા પ્રયત્નોનો આ પડઘો છે.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે વાલીઓનો વિશ્વાસ વધ્યો છે, આ વાતની સાબિતી આપતા ૪૬૬ બાળકોએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કરાયેલા પ્રયત્નોનો આ પડઘો છે. સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી નર્મદા જિલ્લાના ગામડાઓમાં રાત્રિ રોકાણ કરી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સકારાત્મક અસરો નર્મદા જિલ્લામાં જોવા મળી રહી છે.
નર્મદા જિલ્લાની ૬૮૦ સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી ૧૮૭ પ્રાથમિક શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ બનાવવામાં આવી છે. જેનો લાભ હાલમાં ૨૮,૪૬૧ બાળકો લઈ રહ્યા છે. આવી શાળાઓમાં તબક્કાવાર બિલ્ડીંગ અને વર્ગખંડોનું અપગ્રેડેશન, તમામ ગ્રેડ માટે સ્માર્ટ ક્લાસરૂમ, સ્ટીમ લેબ, કમ્પ્યુટર લેબ, ભાષા લેબ, રમત ગમતના સાધનો, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટે રિસોર્સ રૂમ અને પર્યાવરણ લેબ વિકસાવવામાં આવે છે. આ સ્માર્ટ ક્લાસ થકી અસરકારક અધ્યાપન અને અધ્યયન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
અહીં ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોની તાલુકા વાર વાત કરવામાં આવે તો, દેડિયાપાડામાં ૩૧૪, ગરૂડેશ્વરમાં ૫૮, નાંદોદમાં ૫૪, સાગબારામાં ૧૪ અને તિલકવાડામાં ૨૬ બાળકોનો સમાવેશ થાય છે. જેઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં અભ્યાસ અર્થે આવ્યા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં વધતી જતી સુવિધાઓ અને શિક્ષકોના જ્ઞાન કર્મ પ્રત્યેની સંનિષ્ઠતા જોઈને વાલીઓનો વિશ્વાસ પ્રબળ બનતો જાય છે. તેના કારણે ખાનગી શાળાઓનો મોહ અને દેખાદેખી છોડી વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. આથી વિશેષ રૂડું શું હોઈ શકે...!
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ. ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ.