સિએટ એ સર્જ્યો ઈતિહાસ, ટાયર ઈન્ડસ્ટ્રીમાં વૈશ્વિક સ્તરે ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ જીતનાર પ્રથમ કંપની બની
ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક કંપની સિએટ લિમિટેડે પ્રતિષ્ઠિત ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ મેળવી 2023માં આ વિશિષ્ટતા પ્રાપ્ત કરનાર વિશ્વની પ્રથમ ટાયર બ્રાન્ડ બની છે.
મુંબઈ : ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક કંપની સિએટ લિમિટેડે પ્રતિષ્ઠિત ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ મેળવી 2023માં આ વિશિષ્ટતા પ્રાપ્ત કરનાર વિશ્વની પ્રથમ ટાયર બ્રાન્ડ બની છે. ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ એ કંપનીઓ માટેનું એક પ્રસિદ્ધ સન્માન છે કે જેમણે ડેમિંગ પ્રાઈઝ હાંસલ કર્યું છે, તેઓએ ત્રણથી વધુ વર્ષ સુધી તેમની કુલ ગુણવત્તા વ્યવસ્થાપન (TQM) પ્રેક્ટિસને ટકાવી રાખી તેમાં સુધારો જારી રાખ્યો છે. સિએટ પંદર વર્ષથી વધુ સમયથી TQM હેઠળ કામગીરી કરી રહી છે. જે 2017માં પ્રતિષ્ઠિત ડેમિંગ પ્રાઇઝ જીતનાર જાપાન બહારની પ્રથમ ટાયર કંપની હતી.
ડેમિંગ ગ્રાન્ડનું 1969માં અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે યુનિયન ઓફ જાપાનીઝ સાયન્ટિસ્ટ્સ એન્ડ એન્જિનિયર્સ (JUSE) દ્વારા ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ (TQM)માં શ્રેષ્ઠતા માટે પ્રસ્તુત કરાયેલા લાંબા સમયથી ચાલતા ક્વોલિટી એવોર્ડ્સમાંનો એક છે. સિએટ આ સન્માન જીતનારી વિશ્વભરની માત્ર 33 કંપનીઓમાંની એક છે અને વૈશ્વિક મંચ પર એકમાત્ર ભારતીય ટાયર બ્રાન્ડ છે.
TQMના ઉચ્ચ સ્તરે કામ કરતી કંપનીઓ તેમની ગ્રાહક કેન્દ્રિતતા, કાર્ય કરવાની પદ્ધતિસરની રીત અને કાર્ય ક્ષમતાઓમાં અલગ પડે છે.
સિએટ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી અનંત ગોએન્કાએ આ અંગે જણાવ્યું હતું કે, “અમે ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ હાંસિલ કરી સન્માનની લાગણી અનુભવી રહ્યા છીએ. આ સન્માન શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. અમારી આ સફળતા અમારા અમૂલ્ય ભાગીદારો અને વિક્રેતાઓના સતત પ્રયાસો અને સમર્થનને આભારી છે. આ સિદ્ધિ અમને ગુણવત્તા અને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વભરમાં ટાયર મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે.”
સિએટ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી અર્નબ બેનર્જીએ જણાવ્યું હતું કે "અમે આ સિદ્ધિથી અત્યંત આનંદિત છીએ. આ પુરસ્કાર જીતવાથી અમારી મજબૂત બિઝનેસ સિસ્ટમ્સ અને કામગીરીઓ પ્રતિબિંબિત થાય છે, જે દર વખતે અત્યંત વિશ્વસનીય અને ભરોસાપાત્ર ઉત્પાદનો અને સેવાઓના નિર્માણ તરફ દોરી જાય છે. દરેક કર્મચારી અને તમામ સ્ટેકહોલ્ડર્સની સાથે મળી તેને સાચા અર્થમાં ભાગીદારી આધારિત બનાવે છે. અમે માનીએ છીએ કે સિએટના ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોએ અમને આ સન્માન હાંસિલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.”
પીયૂષ ગોયલે યુકેની ચૂંટણી પછી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પ્રગતિની ખાતરી આપી છે જ્યારે ભારત-EU વેપાર વાટાઘાટોને આગળ વધારીને, ભારતના આર્થિક વિકાસને મજબૂત બનાવશે.
ભારતમાં, સામાન્ય માણસ પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી સરકારી બચત યોજનાઓમાં નાની બચત કરવાનું પસંદ કરે છે. બજેટ પહેલા જ સરકારે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જાણો કઈ સ્કીમ પર સરકાર કેટલું વ્યાજ આપશે...
જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે.