CM આતિશીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત, જાણો શું છે બીજેપી નેતા સાથે જોડાયેલો મામલો?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાં સમન્સના આદેશને પડકાર્યો હતો.
ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તેમણે દાવો કર્યો હતો કે આતિષીએ લગાવેલા આરોપોએ તેમની અને તેમની પાર્ટી (ભાજપ)ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
જામિયા નગરમાં પોલીસ ટીમ પર હુમલો કરવાના આરોપમાં નોંધાયેલી FIRના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે ભવાનીગઢ પહોંચ્યા જ્યાં તેમણે મૃતક સૈનિક હર્ષવીર સિંહના પરિવારને મળ્યા અને 1 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો.
આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલની કાર પર ઇંટો અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠક માટે પ્રચાર કરી રહ્યા હતા.