કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂ.11 લાખના સહાય ચેક અર્પણ કરાયા
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ખેડૂત કલ્યાણ પ્રત્યેની નોંધપાત્ર પ્રતિબદ્ધતા ઝળકે છે કારણ કે તેઓ ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે રહેતા ખેડૂતોના વારસદારોને ઉદાર હાથ લંબાવે છે. નોંધપાત્ર પગલામાં, કુલ રૂ. 11 લાખનું વિતરણ કરવામાં આવ્યું છે, જે આ સમર્પિત વ્યક્તિઓને સશક્ત બનાવે છે જેઓ આપણી કૃષિ ક્ષમતાને આગળ ધપાવે છે.
જામનગર: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડમાં 'સહાય ચેક વિતરણ કાર્યક્રમ' યોજાયો હતો. કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂ. ૧૧ લાખના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર અને ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સહયોગથી અકસ્માતમાં અવસાન પામેલા ખાતેદાર ખેડૂતોના પરિવારજનોને દુઃખની ઘડીમાં મદદરૂપ બની શકાય તે હેતુથી 'ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના' હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.
કાર્યક્રમમાં કૃષિમંત્રી એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સહકારિતા વિભાગ દ્વારા 'ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના' લાગુ પાડવામાં આવી છે. કોઈ ખેડૂતનું અકસ્માતમાં અવસાન થાય ત્યારે તેમના પરિવારજનો પર આવી પડેલી વિપદાની ઘડીમાં સરકાર તેમની સાથે છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની તમામ સમસ્યા ઉકેલવા માટે અને તેમને સતત સાથ-સહકાર મળી રહે તે માટે સતત કટિબદ્ધ છે.
કાર્યક્રમમાં, કૃષિમંત્રી નાં હસ્તે ધ્રોલ તાલુકાના લૈયારા ગામના ખેડૂત રસીકબા નીરૂભા જાડેજાના વારસદારને રૂ. 1 લાખની રકમનો ચેક અર્પણ કરાયો હતો. ખાખરા ગામના ખેડૂત અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ વાંકિયા ગામના ખેડૂત નરસિંહ ભીમાણીના વારસદારોને ક્રમશ: રીતે રૂ. 5- 5 લાખની રકમનો ચેક અર્પણ કરાયો હતો.
ઉક્ત સમારોહમાં, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી દેવકરણભાઈ ભાલોડીયા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ઉપ પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકાની સહકારી મંડળીના સદસ્યો, ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સદસ્યો તેમજ આજુબાજુના ગામના ખાતેદાર ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.