કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂ.11 લાખના સહાય ચેક અર્પણ કરાયા
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ખેડૂત કલ્યાણ પ્રત્યેની નોંધપાત્ર પ્રતિબદ્ધતા ઝળકે છે કારણ કે તેઓ ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે રહેતા ખેડૂતોના વારસદારોને ઉદાર હાથ લંબાવે છે. નોંધપાત્ર પગલામાં, કુલ રૂ. 11 લાખનું વિતરણ કરવામાં આવ્યું છે, જે આ સમર્પિત વ્યક્તિઓને સશક્ત બનાવે છે જેઓ આપણી કૃષિ ક્ષમતાને આગળ ધપાવે છે.
જામનગર: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડમાં 'સહાય ચેક વિતરણ કાર્યક્રમ' યોજાયો હતો. કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂ. ૧૧ લાખના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર અને ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સહયોગથી અકસ્માતમાં અવસાન પામેલા ખાતેદાર ખેડૂતોના પરિવારજનોને દુઃખની ઘડીમાં મદદરૂપ બની શકાય તે હેતુથી 'ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના' હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.
કાર્યક્રમમાં કૃષિમંત્રી એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સહકારિતા વિભાગ દ્વારા 'ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના' લાગુ પાડવામાં આવી છે. કોઈ ખેડૂતનું અકસ્માતમાં અવસાન થાય ત્યારે તેમના પરિવારજનો પર આવી પડેલી વિપદાની ઘડીમાં સરકાર તેમની સાથે છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની તમામ સમસ્યા ઉકેલવા માટે અને તેમને સતત સાથ-સહકાર મળી રહે તે માટે સતત કટિબદ્ધ છે.
કાર્યક્રમમાં, કૃષિમંત્રી નાં હસ્તે ધ્રોલ તાલુકાના લૈયારા ગામના ખેડૂત રસીકબા નીરૂભા જાડેજાના વારસદારને રૂ. 1 લાખની રકમનો ચેક અર્પણ કરાયો હતો. ખાખરા ગામના ખેડૂત અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ વાંકિયા ગામના ખેડૂત નરસિંહ ભીમાણીના વારસદારોને ક્રમશ: રીતે રૂ. 5- 5 લાખની રકમનો ચેક અર્પણ કરાયો હતો.
ઉક્ત સમારોહમાં, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી દેવકરણભાઈ ભાલોડીયા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ઉપ પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકાની સહકારી મંડળીના સદસ્યો, ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સદસ્યો તેમજ આજુબાજુના ગામના ખાતેદાર ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાજરીના પોષક અને કૃષિ લાભોના પ્રબળ હિમાયતી રહ્યા છે, સ્વસ્થ આહાર અને પર્યાવરણને અનુકૂળ ખેતીમાં તેમની ભૂમિકા પર ભાર મૂકે છે. તેમના પ્રયાસોને કારણે સંયુક્ત રાષ્ટ્રએ 2023 ને 'આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ' તરીકે જાહેર કર્યું, જેનાથી સમગ્ર ભારતમાં બાજરીની ખેતી અને વપરાશને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
હા, ગુજરાત હવે ઉત્તરાખંડ પછી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસી કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.