ઉપલેટામાં ચૈત્ર સુદ ૧૧ તા.૧૯ એપ્રિલ શુક્રવારે પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪મી નિર્વાણતિથિની થશે ભવ્ય ઉજવણી
ઉપલેટા શહેરમાં ગાધા ઈસરા રોડ પર આવેલ પુજ્ય બ્રહ્મચારી બાપુની જગ્યા ખાતે આગામી ચૈત્ર સુદ ૧૧, તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ ને શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪ તિથીની ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં ઉજવણીના ભાગરૂપે દિવસ દરમિયાન અને રાત્રે વિવિધ પ્રકારે ઉજવણી માટેના આયોજન કરવામાં આવ્યા છે.
ઉપલેટા : ઉપલેટા શહેરમાં ગાધા ઈસરા રોડ પર આવેલ પુજ્ય બ્રહ્મચારી બાપુની જગ્યા ખાતે આગામી ચૈત્ર સુદ ૧૧, તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ ને શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪ (ચોપનમી) તિથીની ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં ઉજવણીના ભાગરૂપે દિવસ દરમિયાન અને રાત્રે વિવિધ પ્રકારે ઉજવણી માટેના આયોજન કરવામાં આવ્યા છે.
ઉપલેટામાં પુજ્ય શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪ મી પુણ્યતિથી નિમિતે સવારે ૦૮:૦૦ કલાકે યજ્ઞ, ૦૯:૦૦ કલાકથી બાળકો માટેના બટુક ભોજનનું આયોજન કરેલ છે જેમાં ઉપલેટાની તમામ શાળાના તેમજ ઉપલેટાના અન્ય બાળકોને બટુક ભોજન કરાવામાં આવશે. બપોરે ૦૪:૦૦ વાગ્યે હવનનું બીળુ હોમાશે, ૦૪:૩૦ કલાકે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન, સાંજે પ્રસાદનું આયોજન, રાત્રે ૦૯:૦૦ વાગ્યે રામધુનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઉપલેટા પંથકની તમામ ધર્મપ્રેમી જનતાને ચૈત્ર સુદ ૧૧, તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ ને શુક્રવારના રોજ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪ મી તિથિની આ ઉજવણીમાં સહભાગી થવા અને ભોજન પ્રસાદ લેવા અહિયાના ટ્રસ્ટના પ્રમુખ ઉકાભાઈ બારૈયાએ પોતાની યાદીમાં જણાવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.