રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડિસાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃખંલામાં ૧૨ લાખથી વધુ લાભાર્થીઓને ૪૫૦૦ કરોડથી વધુના લાભ-સહાય પહોંચાડવાનો દરિદ્રનારાયણ સેવાયજ્ઞ રાજ્યમાં શરૂ થયો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યુ કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય, લાભ આપીને તેમના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા-દર્શનમાં ગુજરાતમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ રૂપે ૨૦૦૯-૧૦થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના ડિસાથી કરાવ્યો હતો.
રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરીયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે.
મુખ્યમંત્રીએ ડિસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી ૧૧ હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ. ૪૫ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યુ હતું. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતીમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ૧૪મી શૃખંલામાં સમગ્રતયા ૧ લાખ ૭૩૪ લાભાર્થીઓને કુલ ૩૧૮ કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ ૧૪માં તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે ૧૨ લાખથી વધુ ગરીબોને રૂ. ૪૫૬૮ કરોડના લાભ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું આર્થિક-સામાજિક સશક્તીકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરુ પાડ્યુ છે.
વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી નદી કિનારે આવેલા અગોરા મોલના ક્લબહાઉસમાંથી દબાણો દૂર કરવા માટે મહત્વની કામગીરી હાથ ધરી છે.
ગુજરાતના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જે રાજ્ય સરકારને વ્યૂહાત્મક પ્રતિસાદ લાગુ કરવા માટે પ્રેરિત કરે છે.
અમદાવાદ પોલીસ કમિશનરે આગામી નવરાત્રિ તહેવાર માટે ગરબાની ઉજવણીને મધ્યરાત્રિ સુધી મર્યાદિત કરીને કડક માર્ગદર્શિકા નક્કી કરી છે.