મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાયા
સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાના મતવિસ્તારમાં શ્રમદાન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રીશ્રીએ સફાઈ અભિયાનમાં જોડાઈ જાહેર સ્થળોએ સફાઈ કરી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તારમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ પોતાનું શ્રમદાન આપી જાહેર રસ્તા પર સાફ-સફાઈ કરી હતી. સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન પણ જોડાયા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે વૃક્ષારોપણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન ને પગલે આજે 1લી ઓકટોબરે સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન ' એક તારીખ, એક કલાક, એક સાથ' મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા સમગ્ર ગુજરાતમાં પણ આજે વિવિધ જાહેર સ્થળોએ સફાઈ અભિયાન યોજાયું હતું. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પોતાના મતવિસ્તારમાં શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
"નર્મદાના પીપલોદ ગામમાં ભત્રીજા મહેશ વસાવાએ કાકી રમીલાબેનની બિભત્સ માંગણી ન સ્વીકારવા પર ગળું દબાવી હત્યા કરી. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગતો, પોલીસ તપાસ અને સમાજ પરની અસર વાંચો."
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."