કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની દેખરેખ હેઠળ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન
પ્રભાસતીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારની સફાઈ જાળવીએ: કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા
ગીર સોમનાથ : ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રને સાર્થક કરતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આજે વહેલી સવારે કલેક્ટરશ્રીના વડપણ હેઠળ સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના ઝીણાં ટૂકડાઓ, થર્મોકોલના નકામા ટૂકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખોચણાક બનાવ્યો હતો.
કલેક્ટરશ્રી દ્વારા રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતાં નોટિસબોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન
બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી.
કલેક્ટરશ્રીએ સફાઈ અંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પ્રભાસતીર્થ એ પવિત્ર ભૂમિ છે. અખૂટ ઉર્જાનો અહેસાસ કરાવતી આ સાત્વિક ભૂમિમાં કુદરતી સંપત્તિ એ ઈશ્વરની અમૂલ્ય દેણ છે. તમામ લોકો આ કુદરતી સંપત્તિની જાળવણી કરવામાં તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપે, જેથી બહારથી આવતા પ્રવાસીઓ પણ ગીર સોમનાથની સારી છાપ લઈને પરત ફરે.
આ સફાઈ કામગીરીમાં નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ચેતન ડુડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન શ્રી રાજુભાઈ ગઢિયા, સેનેટરી ઈન્સ્પેક્ટર શ્રી હરદિપસિંહ ખેર, બાબુભાઈ ટિંબાણિયા સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ જોડાયા હતાં.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.