વડોદરા જિલ્લામાં ખાનગી સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ કામગીરી હાથ ધરાઈ
વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન ઉત્સાહ સાથે ચલાવવામાં આવી રહ્યું છે. ગામેગામ વિવિધ જાહેર સ્થળોની સફાઇ કરવા માટે નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે.
વડોદરા : વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન ઉત્સાહ સાથે ચલાવવામાં આવી રહ્યું છે. ગામેગામ વિવિધ જાહેર સ્થળોની સફાઇ કરવા માટે નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આ અભિયાન હેઠળ જિલ્લામાં એક જ દિવસમાં ૨૮૯ સ્થળોએ સફાઇ કામગીરી કરી ૭૧૯ કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા હી સેવા અતર્ગત વડોદરા જિલ્લામાં તા.૦૯.૧૨.૨૩ દરમિયાન ગામડાંઓમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જણાવ્યું કે, મંગળવારના રોજ ૨૮૯ સ્થળોએ થયેલી સફાઇ ઝૂંબેશમાં ૧૩૦૮ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું હતું. તેમની સાથે ૩૧૫ જેટલા સ્વચ્છતાકર્મીઓ પણ જોડાયા હતા.નાગરિકો આ લોકહિતની પ્રવૃત્તિમાં સ્વયંભૂ રીતે સહભાગી થયા હતા.
વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા. તેની સાથે સરકારી કચેરીઓમાં પણ સફાઇ ઝૂંબેશ ચાલી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.