નાંદોદ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને ગ્રામજનોનો જબરદસ્ત પ્રતિસાદ
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ખાતે ગ્રામજનોનો સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે.
રાજપીપલા : “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ખાતે ગ્રામજનોનો સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે. ગ્રામજનોએ પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત પંચાયત ઘરની સામુહિક સાફસફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
જિલ્લાના નાગરિકો સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને અન્ય લોકોને સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓ અને બાળકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવાય તે માટે અનેકવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. નર્મદા
જિલ્લામાં વેગવાન બનેલા આ સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં લોકોમાં સ્વચ્છતાની ભાવના કેળવવા કારગત રહ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.