દિલ્હી સહિત 10 રાજ્યોમાં કોલ્ડ ડે એલર્ટ, જાણો 26 જાન્યુઆરી સુધી તમારા વિસ્તારમાં કેવું રહેશે હવામાન
દિલ્હી સહિત દેશના 10 રાજ્યોમાં આગામી 24 કલાક દરમિયાન કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગે કોલ્ડ ડે એલર્ટ જાહેર કર્યું છે. ધુમ્મસ ક્યાં રહેશે તે પણ જણાવવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ દિલ્હી-હરિયાણા-પંજાબ સહિત દેશના ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજુ યથાવત છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ માટે કોલ્ડ ડે એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારના મોટાભાગના સ્થળોએ પણ તીવ્ર ઠંડી ચાલુ રહેશે. હવામાન વિભાગે કહ્યું કે 25 અને 26 જાન્યુઆરીએ ઠંડીનો દિવસ રહેવાની સંભાવના છે. આ સાથે જ ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ધુમ્મસથી કોઈ રાહત નથી.
હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે પંજાબ, ઉત્તરી હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં આજે લઘુત્તમ તાપમાન 3-6 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું. જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં લઘુત્તમ તાપમાન 7-10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારે અંબાલા (હરિયાણા)માં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું કે હરિયાણા-પંજાબ, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસ સવાર દરમિયાન ગાઢ ધુમ્મસ જોવા મળશે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની આગાહી કરી છે. આ સિવાય આંદામાન નિકોબાર ટાપુઓમાં 28 જાન્યુઆરી સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ગુરુવારથી હિમવર્ષા થવાની સંભાવના છે. શુક્રવાર અને શનિવારે પહાડીઓના કેટલાક ઉંચા અને નીચલા ભાગોમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. રવિવારે રાજ્યભરમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
બુધવારે દિલ્હીમાં કડકડતી ઠંડીથી થોડી રાહત મળી હતી અને રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં એક ડિગ્રી વધારે છે. ભારતના હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, દિલ્હીમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં પાંચ ઠંડા દિવસો અને પાંચ શીત લહેરનો અનુભવ થયો છે, જે છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ છે. IMD અનુસાર, શહેરમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ અને મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું હતું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.