પ્રતાપનગર અને જોબટ વચ્ચે સીધી રેલવે સેવાની શરૂઆત
પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવેખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવેખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી અલીરાજપુર વચ્ચે ચાલનારી ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) અને ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) ને જોબટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે. માનનીય સંસદસભ્ય શ્રી ગુમાન સિંહ ડામોર એ જોબટ સ્ટેશનથી આ વિસ્તૃત ટ્રેનને રવાનગી સંકેત દેખાડી રવાના કરી. આ રીતે હવે વડોદરા થી જોબટ સુધી સીધી રેલવે સેવાની શરૂઆત થઈ ગઈ છે.
1. ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) પ્રતાપનગર – જોબટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023 થી પ્રતાપનગરથી જોબટ સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 09:05 કલાકે પ્રતાપનગરથી ઉપડીને 13:20 કલાકે જોબટ પહોંચશે.
2. ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) જોબટ – પ્રતાપનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023થી જોબટથી પ્રતાપનગર સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 14:00 કલાકે જોબટથી ઉપડીને 18:05 કલાકે પ્રતાપનગર પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ડભોઈ જંકશન, વધવાણા, અમલપુર, સંખેડા, બહાદરપુર, છુંછાપુરા, જોજવા, બોડેલી, જાબૂગામ, સુસ્કલ, પાવી, તેજગઢ, પુનિયાવત, છોટા ઉદેપુર, પાડલિયા રોડ, મોટી સાદલી, અંબારી રિછાવી, અલીરાજપુર, ખંડાલા સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.