પ્રતાપનગર અને જોબટ વચ્ચે સીધી રેલવે સેવાની શરૂઆત
પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવેખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવેખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી અલીરાજપુર વચ્ચે ચાલનારી ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) અને ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) ને જોબટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે. માનનીય સંસદસભ્ય શ્રી ગુમાન સિંહ ડામોર એ જોબટ સ્ટેશનથી આ વિસ્તૃત ટ્રેનને રવાનગી સંકેત દેખાડી રવાના કરી. આ રીતે હવે વડોદરા થી જોબટ સુધી સીધી રેલવે સેવાની શરૂઆત થઈ ગઈ છે.
1. ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) પ્રતાપનગર – જોબટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023 થી પ્રતાપનગરથી જોબટ સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 09:05 કલાકે પ્રતાપનગરથી ઉપડીને 13:20 કલાકે જોબટ પહોંચશે.
2. ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) જોબટ – પ્રતાપનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023થી જોબટથી પ્રતાપનગર સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 14:00 કલાકે જોબટથી ઉપડીને 18:05 કલાકે પ્રતાપનગર પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ડભોઈ જંકશન, વધવાણા, અમલપુર, સંખેડા, બહાદરપુર, છુંછાપુરા, જોજવા, બોડેલી, જાબૂગામ, સુસ્કલ, પાવી, તેજગઢ, પુનિયાવત, છોટા ઉદેપુર, પાડલિયા રોડ, મોટી સાદલી, અંબારી રિછાવી, અલીરાજપુર, ખંડાલા સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી