આત્મહત્યા કોઈ સમસ્યાનું નિવારણ નથી એ વિષય પર તિલકવાડા પોલીસનું સરાહનીય કાર્ય
નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાતનું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદનું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાત નું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદ નું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા જિલ્લામાં ઝેરી દવા પી આપઘાત કરવાની ઘટના માં સતત વધારો જોવા મળ્યો છે અને તેમાં પણ ખાસ કરીને સગીર વયના બાળકો અને બાળકીઓ આવું પગલું ભરે ત્યારે આવી ઘટના ગંભીર કહી શકાય માટે આવી ઘટનાનું પુનરાવર્તન નાં થાય અને તેને અટકાવવા એક માત્ર લોક જાગૃતિ જરૂરી છે, પરંતુ જિલ્લામાં મોટા ભાગની વસ્તી પછાત આદિવાસી હોય અને એમાં ઘણા લોકો અભણ હોવાથી આપઘાત જેવું પગલું ભરતા હોય છે.
આવા સમયે નર્મદા પોલીસ લોક જાગૃતિ માટે પ્રયાસ કરતી હોવાથી તેના ભાગરૂપે તિલકવાડા પોલીસે તાલુકાના ટેકરા ફળિયા,દેવલિયા ખાતે "આત્મહત્યા એ કોઇ સમસ્યાનું નિવારણ નથી" એ વિષય પર તિલકવાડા પોલીસ સ્ટેશન દ્વારા તેમનાં વિસ્તારમાં આવા બનાવો સતત બનતા રહેતા હોવાથી તે અટકાવવા અંગે જન સંવાદનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવવા એક પ્રયાસ કરી સરાહનીય કાર્ય કર્યું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.