આત્મહત્યા કોઈ સમસ્યાનું નિવારણ નથી એ વિષય પર તિલકવાડા પોલીસનું સરાહનીય કાર્ય
નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાતનું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદનું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાત નું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદ નું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા જિલ્લામાં ઝેરી દવા પી આપઘાત કરવાની ઘટના માં સતત વધારો જોવા મળ્યો છે અને તેમાં પણ ખાસ કરીને સગીર વયના બાળકો અને બાળકીઓ આવું પગલું ભરે ત્યારે આવી ઘટના ગંભીર કહી શકાય માટે આવી ઘટનાનું પુનરાવર્તન નાં થાય અને તેને અટકાવવા એક માત્ર લોક જાગૃતિ જરૂરી છે, પરંતુ જિલ્લામાં મોટા ભાગની વસ્તી પછાત આદિવાસી હોય અને એમાં ઘણા લોકો અભણ હોવાથી આપઘાત જેવું પગલું ભરતા હોય છે.
આવા સમયે નર્મદા પોલીસ લોક જાગૃતિ માટે પ્રયાસ કરતી હોવાથી તેના ભાગરૂપે તિલકવાડા પોલીસે તાલુકાના ટેકરા ફળિયા,દેવલિયા ખાતે "આત્મહત્યા એ કોઇ સમસ્યાનું નિવારણ નથી" એ વિષય પર તિલકવાડા પોલીસ સ્ટેશન દ્વારા તેમનાં વિસ્તારમાં આવા બનાવો સતત બનતા રહેતા હોવાથી તે અટકાવવા અંગે જન સંવાદનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવવા એક પ્રયાસ કરી સરાહનીય કાર્ય કર્યું હતું.
આધ્યાત્મિક શિક્ષણ અને જ્ઞાનની ઉજવણીમાં, ભાડજ, અમદાવાદ ખાતે હરે કૃષ્ણ મંદિરે એક ભવ્ય ગીતા સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં 3000 થી વધુ ઉત્સાહી વ્યક્તિઓએ ભાગ લીધો.
અમદાવાદના એસપી રીંગ રોડ પર આજે વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થાર કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોએ કરુણ રીતે જીવ ગુમાવ્યા હતા. ઘટના પછી તરત જ, સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,
ગુજરાતમાં, ભારે વરસાદે રાતોરાત કેટલાક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળી છે. અમરેલી, અમદાવાદ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેનાથી રહેવાસીઓ આનંદિત થયા છે.