રાજપીપળા સોનીવાડમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે ઈકો ફ્રેન્ડલી ગણપતિ જોવા ભક્તોની ભીડ
રાજપીપળા સોનીવાડ શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા સતત ૩૨ વર્ષથી ગણપતિ સ્થાપના,આ ૩3મું વર્ષ, - આ મંડળ છેલ્લા દસ વર્ષથી માટીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે અને અન્ય લોકોને પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા લાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપે છે.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માં ગણેશ ચતુર્થીનો પર્વ ખૂબજ ભક્તિભાવ પૂર્વક મનાવવા માં આવે છે જેમાં કેટલાક યુવક મંડળો દ્વારા અવનવા સ્વરૂપે ગણેશજીની પ્રતિમા બનાવતા મોટી સંખ્યા માં ભક્તો દર્શનાર્થે આવે છે.
રાજપીપળા સોનીવાડ વિસ્તારમાં શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા સતત ૩૨ વર્ષથી ગણપતિ દાદાની પ્રતિમા ની સ્થાપના થતી આવી છે આ ૩૩ મું વર્ષ છે ત્યારે આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપે ગણેશજી ને બિરાજમાન કરવામાં આવ્યા છે જેને જોવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે દસ દિવસ આતિથ્ય માણવા આવેલા દુંદાળા દેવ ની દરરોજ પૂંજા આરતી બાદ સોનીવાડ વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા ગરબા, વેશભૂષા,અંતાક્ષરી સહિત અનેક પ્રકાર નાં કાર્યક્રમ થાય છે જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે જોકે આ મંડળ નાં યુવકોનું કહેવું છે કે રાજપીપળા નાં કેટલાક સ્થાનિક કલાકારો એ અહીંયાથી પોતાની સંગીત સહિતની કલા ની શરૂઆત કરી હતી અને હાલમાં આ કલાકારો ઘણા ઉપર લેવલે પહોંચ્યા છે અને બોમ્બે જેવા મોટા સીટી માં પોતાનો ડંકો વગાડી રહ્યા છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.