ડીઆરએમ અમદાવાદે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રામાણિકતાની શપથ અપાવી
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે આજે સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અને સતર્કતા જાગૃકતા સપ્તાહ નિમિત્તે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે શપથ અપાવી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે આજે સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અને સતર્કતા જાગૃકતા સપ્તાહ નિમિત્તે મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી સુધીરકુમાર શર્માએ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે શપથ અપાવી.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ મંડળ કાર્યાલય પરિસરમાં પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર ને દૂર કરવાના શપથ લેવડાવતા, દરેક ને ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે તેમના દૈનિક કાર્યમાં ઈમાનદારી ના મૂલ્યોને સામેલ કરવા આહ્વાન કર્યું હતું. રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને "રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા" જાળવવા અને પરસ્પર ભાઈચારા ની સાથે હળીમળીને રહેવાના તથા પ્રામાણિકતા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા હતા.
સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી જીતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આપણા દેશને સંયુક્ત, સુરક્ષિત અને વિકસિત રાખવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં એકતા, રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાના સિદ્ધાંતોનો સમાવેશ કરવો જોઈએ. આપણે ધર્મ, જાતિ અને સંપ્રદાયની વિવિધતા હોવા છતાં બધાની વચ્ચે હંમેશા સામાજિક , સમરસતા અને સાંપ્રદાયિક સદ્ભાવ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રસંગે મંડળ કાર્યાલય ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.