ડેડીયાપાડા પોલીસે હરીપુરા ગામમાં જુગાર પર રેડ કરી 10 જુગારીઓને ઝડપી લીધા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના હરીપુરા ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના હરીપુરા ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓ ને ઝડપી લીધા હતા.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે ચેકીંગ દરમિયાન હરીપુરા ગામથી (૧) અક્ષયભાઇ ગુલાબભાઇ વસાવા (૨) સતિષભાઇ ભીમસિંગભાઇ મોવાસી (૩) અમરસિંગભાઇ ઢોળીદાસભાઇ મોવાસી (૪) રાજુભાઇ વનકરભાઇ મોવાસી(૫) નિલેશભાઇ ગુલાબભાઈ મોવાસી(૬) સુરેશભાઇ ધનજીભાઈ મોવાસી (૭) રાજુભાઇ છત્રસિંગભાઇ મોવાસી(૮) જલમસિંગભાઇ ફુલસિંગભાઈ મોવાસી(૯) કિરીટભાઇ દીલીપભાઇ વસાવા લ (૧૦) અજયભાઇ અર્જુનભાઇ વસાવા, તમામ રહે. હરીપુરા ને હારજીતનો જુગાર રમી રમાડતા દાવ પરના રોકડા રૂ.૨૦૦/- તેમની અંગ ઝડતીના રોકડા રૂ.૧૩૩૦/- મળી કુલ કિ.રૂ.૧૫૩૦/-ના જુગાર રમવાના સાહીત્ય સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.