નિવાલ્દા ગામના મોતીનગરમા સસરાનાં ત્રાસ થી પુત્રવધૂએ આપઘાત કરતા સસરા વિરૂદ્ધ ગુનો દાખલ
સસરાએ પુત્રવધૂને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થતા પોલીસે તપાસ હાથ ધરી.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં પુત્રવધૂનાં આપઘાતનાં કિસ્સામાં સસરા વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે
મળતી માહિતી અનુસાર ભુપેંદ્રભાઇ ડાહ્યાભાઇ વસાવા રહે.નાના સોરાપાડા હેલંબી ફળીયા તા.ડેડીયાપાડા જી.નર્મદાનાઓએ આપેલી ફરિયાદ મુજબ મરનાર સીમાબેન ભુપેન્દ્રભાઇ ડાહયાભાઇ વસાવા જે અંકિત ભાઇ રામાભાઇ ફતેસિંગભાઇ વસાવાની પત્ની ઉ.વ.આ. ૧૯ રહે.દાભવણ તા.દેડીયાપાડા જી.નર્મદા હાલ રહે.મોતીનગર નિવાલ્દા તા.દેડીયાપાડા જી.નર્મદા નાનીને તેના સસરા રામાભાઇ ફતેસિંગભાઇ વસાવા મુળ રહે દાભવણ તા-ડેડીયાપાડા જી- નર્મદા હાલ રહે.મોતીનગર નિવાલ્દા તા.દેડીયાપાડા જી.નર્મદાનાઓ છેલ્લા ત્રણ વર્ષથી યેનકેન પ્રકારે ત્રાસ આપી પુત્ર અંકિત તથા મરનાર પુત્રવધૂ સાથે ઝઘડો કરી કામ બાબતે તથા નાની-મોટી વાતોમાં વાંક કાઢી ગાળો આપી માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરનાર એ કંટાળી જતા મરવા માટે મજબુર થઈ મોતીનગર સોસાયટી ખાતે આવેલ જીપ લાઇન રાઇડના લોખંડના સ્ટેન્ડ સાથે નાઇલોનની દોરી વડે સીમાબેનએ ગળે ફાસો ખાઇ લેતા મોત થયું હતું. ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.