દિલ્હી દારૂ કૌભાંડ કેસ: મનીષ સિસોદિયા જેલમાં જ રહેશે, કોર્ટે જામીન અરજી ફગાવી
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. હાલ તે જેલમાં જ રહેશે તે નક્કી કરવામાં આવ્યું છે.
દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે આજે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. ED અને CBI બંને કેસમાં જામીનની માંગ કરતી સિસોદિયાની અરજી ફગાવી દેવામાં આવી છે. આ બીજી વખત છે જ્યારે સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આ પહેલા પણ નીચલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
જામીનનો વિરોધ કરતાં તપાસ એજન્સીએ કહ્યું હતું કે સિસોદિયા કૌભાંડના કિંગપિન છે, તેથી તેમને જામીન ન આપવા જોઈએ, જો તેમને જામીન આપવામાં આવે તો સિસોદિયા પુરાવા સાથે ચેડા કરી શકે છે. સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
"ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં, જેમાં એરસ્પેસ અને બંદરો બંધ કરવાની તૈયારી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? વાંચો આ વિગતવાર સમાચાર."
"RBIએ બેંકોને એટીએમમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો. 2025થી એટીએમ ઉપાડ ચાર્જમાં પણ ફેરફાર. નવી નીતિની સંપૂર્ણ વિગતો જાણો."
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.