રાજપીપલા સરકારી મુકબધિર નિવાસી શાળામાં દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ સરકારી મુકબધિર નિવાસી શાળા રાજપીપલા ખાતે નાંદોદ તાલુકાના દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
રાજપીપલા: લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનેજિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી મુકબધિર નિવાસી શાળા રાજપીપલા ખાતે નાંદોદ તાલુકાના દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪માં દિવ્યાંગ મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન કરવામાં આવે તેવા હેતુથી નોડલ અધિકારીશ્રી PwD સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નર્મદા અને નોડલ અધિકારી SVEEP સહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની સાથે સંકલનમાં રહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મદદનીશ નોડલ અધિકારીશ્રી PwD સહ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નાંદોદ તેમજ સ્ટાફ અને જિલ્લાના દિવ્યાંગજનો સાથે સંકળાયેલ સંસ્થા દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી જયકુમાર પટેલ હાજર રહીને દિવ્યાંગોને આવનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૧૦૦% મતદાન કરી શકે તે
માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ દિવ્યાંગોને પોતાનો મતાધિકાર પોતાના મતદાન મથક પર યોગ્ય રીતે મતદાન કરી શકે તે માટે દિવ્યાંગોને સુવિધાઓ પુરી પાડવા અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન ચલાવતા દિવ્યાંગ તરીકે જયકુમારે મત આપવા જવા ખાતરી આપી અને જિલ્લાના દરેક દિવ્યાંગો સારી રીતે મતદાન કરી શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત મોબાઈલ
વાપરતા દિવ્યાંગોને E-Saksham App ડાઉનલોડ કરવા અપીલ કરી અને તેનો ઉપયોગ કરવા જણાવ્યું
હતું. પ્રાંત કચેરી નાંદોદના નાયબ મામલતદાર સંદીપ મકવાણા દ્વારા દિવ્યાંગ મતદારો માટેની તંત્રની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે લોકસભા ચુંટણી ૨૦૨૪ સંદર્ભે કોઈપણ મુંઝવણ બાબતે કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં સંચાલન કરનાર મહેન્દ્રભાઈ વસાવા દ્વારા તમામ દિવ્યાંગ મતદારો ૧૦૦% મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.