અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
દર મહીને શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી કુલ ૪૫ લાભાર્થીઓને અનાજકીટ આપવામાં આવે છે. જ્યારે પ્રતિ મહીને મંડળ તરફથી ૬ લાભાર્થીઓને અનાજકીટ અપાતી હોય છે.
દર મહીને શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી કુલ ૪૫ લાભાર્થીઓને અનાજકીટ આપવામાં આવે છે. જ્યારે પ્રતિ મહીને મંડળ તરફથી ૬ લાભાર્થીઓને અનાજકીટ અપાતી હોય છે.
તા.૩૧/૧૨/૨૦૨૪ને મંગળવારના રોજ શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ કાર્યક્રમમાં શ્રી નીલેશભાઈ ચલાળીયા (પૂર્વ જનરલ મેનેજર ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક લી.), શ્રી મહેશભાઈ સી. પાઠક, શ્રી હિતેનભાઈ આઈ. ભટ્ટ, શ્રી દીપકભાઈ કે. ત્રિવેદી, શ્રી હર્ષ એન. ધ્રાંગધરિયાનાં વરદ હસ્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં પ્રમુખ શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું હતું કે આ વર્ષનોઆ છેલ્લો અનાજકીટ વિતરણનો કાર્યક્રમ છે. આગામી ૨૦૨૫ નાં વર્ષમાં પણ શ્રી મુકેશભાઈ ઓઝા અને તેમના મિત્ર પરિવાર દ્વારા અનાજકીટ આપવામાં આવશે. શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા,શ્રી શહેનાઝબેન યાસીનભાઈ વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝા પરિવારનો હું અંતરથી આભાર માનું છું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શ્રી અંકિતાબેન એલ. ચૌહાણે કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.