નર્મદા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.
રાજપીપલા: નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે નર્મદા જિલ્લાના જાહેરજનતા પોતાના પ્રશ્ન તેમજ રજૂઆત કરે ત્યારે તેમના પ્રશ્નો, મુંઝવણો તેમજ સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે તમામ વિભાગોની જવાબદારી મહત્વપૂર્ણ બને છે.
આજે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૧ અરજદારોએ પોતાના પ્રશ્નની રજૂઆત સ્વાગત કાર્યક્રમના માધ્યમથી કરી હતી. જ્યાં કલેક્ટરશ્રીએ ઉપસ્થિત પાંચ અરજદારોના પ્રશ્નોને શ્રેણીબદ્ધ સાંભળીને નિયમાનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. નોંધનીય છે કે, કલેક્ટરશ્રીએ રાજપીપલા, તા. નાંદોદના ટેકરાફળિયાના અરજદાર શ્રીમતી પ્રેમિલાબેન રસીકભાઈ વસાવાની વિધવા સહાય તેમજ એનએફએએ હેઠળ અનાજ મળે તે માટે હુકમ કર્યો હતો.
સ્વાગત કાર્યક્રમનો મુખ્ય આશય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને સરળ અને ઝડપી નિરાકરણ થકી સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બનવાનું છે. આ કાર્યક્રમનો વધુ આશય નાગરિકોની સમસ્યાને કેન્દ્રમાં રાખીને પારદર્શક વહીવટને પ્રોત્સાહન આપવા, પ્રજા પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવાનો અને સુશાસન માટેની નવી માનકતા સ્થાપિત કરવાનો છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.