શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 551 પોઈન્ટ ઘટીને બંધ, નિફ્ટી પણ 19700ની નીચે સરકી
સ્થાનિક શેરબજારની શરૂઆત પણ લાલ નિશાન સાથે થઈ હતી. નકારાત્મક વૈશ્વિક સંકેતો અને ભૌગોલિક રાજકીય તણાવની અસર પણ બજાર પર જોવા મળી હતી.
બુધવારે સ્થાનિક શેરબજારમાં ભૂકંપ આવ્યો હતો. દિવસભરની ભારે વધઘટ બાદ અંતે બજાર મોટા ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 551 પોઈન્ટ ઘટીને અંતે 65,877.07 ના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો બેન્ચમાર્ક નિફ્ટી (NIFTY) પણ 140.4 પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે 19700ના સ્તરની નીચે એટલે કે 19671.10 ના સ્તરે બંધ રહ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટ્યા છે.
શેરબજારમાં આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, રિયલ્ટી અને આઇટી શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ફાર્મા અને મીડિયા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. NSE નિફ્ટી 50 પર બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, NTPC, HDFC બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સ હતા, જ્યારે સિપ્લા, ડૉ રેડ્ડીઝ લેબ્સ, ટાટા મોટર્સ, સન ફાર્મા અને SBI લાઇફ ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે.
સ્થાનિક શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા બાદ મંગળવારે વધારો નોંધાયો હતો. મંગળવારે BSE સેન્સેક્સ 261 પોઈન્ટના વધારા સાથે 66,428 ના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80 પોઈન્ટના વધારા સાથે 19,811ના સ્તરે બંધ રહ્યો હતો.
પીયૂષ ગોયલે યુકેની ચૂંટણી પછી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પ્રગતિની ખાતરી આપી છે જ્યારે ભારત-EU વેપાર વાટાઘાટોને આગળ વધારીને, ભારતના આર્થિક વિકાસને મજબૂત બનાવશે.
ભારતમાં, સામાન્ય માણસ પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી સરકારી બચત યોજનાઓમાં નાની બચત કરવાનું પસંદ કરે છે. બજેટ પહેલા જ સરકારે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જાણો કઈ સ્કીમ પર સરકાર કેટલું વ્યાજ આપશે...
જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે.