ભૂકંપથી આ રાજ્યની ધરતી ધ્રૂજી, એક મહિનામાં ત્રીજો આંચકો, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા
એક મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ઓછી તીવ્રતાના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
કચ્છઃ ગુજરાતના કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. કચ્છમાં રવિવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધી નગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર કચ્છમાં સવારે 10.06 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે જાન-માલના નુકસાનના સમાચાર નથી.
સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 18 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ મહિનામાં જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતાનો આ ત્રીજો ભૂકંપ છે. અગાઉ 23 ડિસેમ્બર અને 7 ડિસેમ્બરે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7 ડિસેમ્બરે પણ ભૂકંપના કારણે કચ્છની ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.
શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર માપવામાં આવી હતી. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં રાત્રે 9.06 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.
4 ડિસેમ્બરે તેલંગાણાના મુલુગુમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. સવારે 7.27 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મુલુગુ નજીકના વારંગલના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે સવારે 7.30 વાગ્યાની આસપાસ થોડીક સેકન્ડો માટે તેઓએ આંચકા અનુભવ્યા. છતના પંખા ધ્રૂજવા લાગ્યા અને છાજલીઓમાંથી વસ્તુઓ પડવા લાગી. મુલુગુ રાજ્યની રાજધાનીથી લગભગ 200 કિલોમીટર દૂર છે. નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એનજીઆરઆઈ)ના નિવૃત્ત વૈજ્ઞાનિક પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પાંચથી વધુની તીવ્રતાના ધરતીકંપ ભાગ્યે જ આવે છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.