મહીસાગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ
મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ હતી જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ભાજપના વિજેતા થયા હતા.
મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ હતી જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ભાજપના વિજેતા થયા હતા. જેમાં પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ જ્યારે ઉપપ્રમુખ તરીકે નંદાબેન ખોટનો વિજય થયો હતો તેમ જ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયત લુણાવાડા, બાલાસિનો, કડાણા , ખાનપુર, સંતરામપુર અને વીરપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજય બન્યા છે.
મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ કાંતિભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે નંદાબેન ખોટનો વિજય થવા પામ્યો છે. જ્યારે લુણાવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભલવેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મીનાબેન ચાવડા જાહેર થયા છે. કડાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મંજુબેન માલીવાડ અને ઉપપ્રમુખ તરીકે બીપીનભાઈ પંચાલ જાહેર ઘોષિત થયા છે.
સંતરામપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે હરીશભાઈ વડવાઈ અને ઉપપ્રમુખ તરીકે આશાબેન ખાંટ વિજય બન્યા છે. કાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રશ્મિકાબેન ડામોર અને ઉપપ્રમુખ તરીકે નીશંતભાઈ જોષી ને વિજય ઘોષિત કરવામાં આવ્યા છે. બાલાસિનોર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સવિતાબેન ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે રામાભાઇ સોલંકી વિજય ઘોષિત થયા છે.
આ મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે આજરોજ યોજાયેલી ચૂંટણીમાં ઉપર મુજબ પ્રમુખ પ્રમુખ તરીકે વિજયી બન્યા છે... જિલ્લા પંચાયત કચેરી ખાતે શરણાઈઓના સુર વચ્ચે અને ફટાકડાઓ ફોડીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જીતેલા ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી