ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે
ચૂંટણી કામગીરીમાં પોલીસ વિભાગના અધિકારી/ કર્મચારીઓ મહત્તમ રોકાયેલા હોય છે, ત્યારે પોસ્ટલ બેલેટથી મતદાનના દિવસે કોઈપણ અધિકારી મતદાનથી વંચિત ન રહી જાય તે જોવા જણાવ્યું હતું.
આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ આગામી દિવસોમાં યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે માટે નાગરિકો ઉપરાંત ચૂંટણી સંબંધી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ/ અધિકારીઓ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે ચૂંટણી કામગીરીમાં પોલીસ વિભાગના અધિકારી/ કર્મચારીઓ મહત્તમ રોકાયેલા હોય છે, ત્યારે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના દિવસે કોઈપણ કર્મચારી અધિકારી મતદાન થી વંચિત ન રહી જાય તે જોવા
જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતા લાછુન સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ મહત્તમ મતદાન કરે તે માટે ની એક બેઠક ખંભાત ખાતે એ.આર.ઓ શ્રી કુંજલ શાહ દ્વારા પણ યોજવામાં આવી હતી. જેમાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા અને કોઈપણ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ મતદાન કરવાથી વંચિત ન રહે તેમ જણાવ્યું હતું.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી