ઉધમપુરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના 4 આતંકીઓ ઘેરાયા
જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. મળતી માહિતી મુજબ ઉધમપુરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના 4 આતંકીઓને ઘેરી લીધા છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકવાદી જૂથના 4 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે. સુરક્ષા દળોએ તેમને ઘેરી લીધા છે.
આ મામલાની માહિતી આપતા સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે વિશેષ ગુપ્ત માહિતીના આધારે કઠુઆમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કઠુઆ-બસંતગઢ બોર્ડર પર આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ 2019 ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત દેશમાં ઘણા ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું 1000 સેકન્ડથી વધુ સમય સુધી સફળ પરીક્ષણ કર્યું, જે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં ઐતિહાસિક સફળતા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ વિશે વધુ જાણો.
"ભારત-ફ્રાન્સની 63,887 કરોડની રાફેલ જેટ ડીલથી નૌકાદળ મજબૂત! જાણો ભારત-પાકિસ્તાન તણાવમાં રાફેલની ખાસિયતો અને સંરક્ષણ સોદાની વિગતો."