વારંવાર મરામત બાદ પણ રાજપીપળામાં વીજળી ડૂલ, રહીશો પરેશાન
ક્યારેક લાઈન માં ફોલ્ટ તો ક્યારેક ઝાડ ની ડાળખી પડવાની સમસ્યા થી અવાર નવાર લાઇટ જવાની તકલીફ જોવા મળતી હોય તો મેન્ટેનન્સ કેવું કરાઇ છે.?
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં ખાસ કરીને રાજપીપળા શહેર માં વીજ કંપની દ્વારા તગડા બિલો ભરતા ગ્રાહકો ને વીજળી બાબતે પૂરતો સંતોષ મળતો નથી કેમકે અવાર નવાર લાઈટો જવાની તકલીફ નો અંત આવતો નથી જેમાં લગભગ દર મહિને એક બે વખત મેન્ટેનન્સ માટે કલાકો લાઈટો બંધ રાખવા છતાં લાઇટ જવાની તકલીફ ત્યાંની ત્યાં જ છે
તાજેતર માં લગભગ બે વખત મેન્ટેનન્સ માટે અલગ અલગ વિસ્તારો માં કલાકો લાઈટો બંધ રાખી કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં ગુરુવારે વહેલી સવારે લોકો ભર નિંદ્રા માં હતા ત્યારે લગભગ મળસ્કે ચાર વાગે અચાનક વીજળી જતી રહી અને ત્રણ કલાક બાદ એટલે કે સાત વાગે વીજળી ફરી આવી હતી જેમાં રાજપીપળા નાં મોટા ભાગના વિસ્તારો માં પીવાનું પાણી સવારે પાચ વાગે આવતું હોય જે નહિ આવતા કે મોડું આવતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી.
ગૃહિણીઓનું કહેવું છે કે છાસવારે જી. ઇ.બી. વાળા રીપેરીંગ માટે ચાર પાચ કલાક લાઈટો બંધ રાખે છે છતાં વારંવાર કેમ લાઈટો જાય છે..? અને લાઈટો ગયા બાદ પણ કલાકો સુધી ફોલ્ટ નહિ મળતાં લોકો હેરાન થઈ રહ્યા છે.તો શું વીજ કંપની રીપેરીંગ નાં નામે કોઈજ કામગીરી કરતી નથી..? તગડા બિલો ભરત ગ્રાહકો ને નિયમિત લાઇટ મળે તો સારું તેમ ગૃહિણીઓ નું કહેવું છે.
રાજપીપળામાં વીજ કાપ, રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો, વીજ કંપની રાજપીપળામાં વીજ પુરવઠો ઠીક કરતી નથી, વીજ કાપથી રાજપીપળાના રહીશો રોષે ભરાયા, વીજ કંપની રાજપીપળામાં નિયમિત વીજ પુરવઠો આપતી નથી,
જેમ જેમ નવરાત્રિનો વાઇબ્રન્ટ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ, અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ગરબાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
પરંપરાગત જામખંભાળિયા ઘીના બદલે અમૂલ ઘીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોને પગલે ડાકોર મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અંગેનો વિવાદે ધ્યાન ખેંચ્યું છે.
અમદાવાદમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ વધુને વધુ સ્કૂટર અને 125 સીસી સ્પોર્ટ બાઈકની સવારી કરીને શાળાએ જતા હોવાના કારણે એક સંબંધિત વલણ ઉભરી આવ્યું છે,