વારંવાર મરામત બાદ પણ રાજપીપળામાં વીજળી ડૂલ, રહીશો પરેશાન
ક્યારેક લાઈન માં ફોલ્ટ તો ક્યારેક ઝાડ ની ડાળખી પડવાની સમસ્યા થી અવાર નવાર લાઇટ જવાની તકલીફ જોવા મળતી હોય તો મેન્ટેનન્સ કેવું કરાઇ છે.?
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં ખાસ કરીને રાજપીપળા શહેર માં વીજ કંપની દ્વારા તગડા બિલો ભરતા ગ્રાહકો ને વીજળી બાબતે પૂરતો સંતોષ મળતો નથી કેમકે અવાર નવાર લાઈટો જવાની તકલીફ નો અંત આવતો નથી જેમાં લગભગ દર મહિને એક બે વખત મેન્ટેનન્સ માટે કલાકો લાઈટો બંધ રાખવા છતાં લાઇટ જવાની તકલીફ ત્યાંની ત્યાં જ છે
તાજેતર માં લગભગ બે વખત મેન્ટેનન્સ માટે અલગ અલગ વિસ્તારો માં કલાકો લાઈટો બંધ રાખી કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં ગુરુવારે વહેલી સવારે લોકો ભર નિંદ્રા માં હતા ત્યારે લગભગ મળસ્કે ચાર વાગે અચાનક વીજળી જતી રહી અને ત્રણ કલાક બાદ એટલે કે સાત વાગે વીજળી ફરી આવી હતી જેમાં રાજપીપળા નાં મોટા ભાગના વિસ્તારો માં પીવાનું પાણી સવારે પાચ વાગે આવતું હોય જે નહિ આવતા કે મોડું આવતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી.
ગૃહિણીઓનું કહેવું છે કે છાસવારે જી. ઇ.બી. વાળા રીપેરીંગ માટે ચાર પાચ કલાક લાઈટો બંધ રાખે છે છતાં વારંવાર કેમ લાઈટો જાય છે..? અને લાઈટો ગયા બાદ પણ કલાકો સુધી ફોલ્ટ નહિ મળતાં લોકો હેરાન થઈ રહ્યા છે.તો શું વીજ કંપની રીપેરીંગ નાં નામે કોઈજ કામગીરી કરતી નથી..? તગડા બિલો ભરત ગ્રાહકો ને નિયમિત લાઇટ મળે તો સારું તેમ ગૃહિણીઓ નું કહેવું છે.
રાજપીપળામાં વીજ કાપ, રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો, વીજ કંપની રાજપીપળામાં વીજ પુરવઠો ઠીક કરતી નથી, વીજ કાપથી રાજપીપળાના રહીશો રોષે ભરાયા, વીજ કંપની રાજપીપળામાં નિયમિત વીજ પુરવઠો આપતી નથી,
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.