ફિઝિકલથી ડિજિટલ વિકલ્પોથી સોનામાં રોકાણ કરવાની અલગ અલગ રીત શોધો
સોનું હંમેશાં એસેટ રહ્યું છે, જે ભારતીયો દ્વારા પ્રત્યક્ષ (ફિઝિકલી) ખરીદી કરવામાં આવે છે. જોકે કોવિડ-19 પછી ડિજિટાઈઝેશનની શોધે ઘણા બધા રોકાણકારોને ડિજિટલ મોડમાં રોકાણ કરવા અને પોર્ટફોલિયો ડાઈવેસ્ટ કરવાનું પસંદ કરવા માટે પ્રેરિત કર્યા છે.
સોનું હંમેશાં એસેટ રહ્યું છે, જે ભારતીયો દ્વારા પ્રત્યક્ષ (ફિઝિકલી) ખરીદી કરવામાં આવે છે. જોકે કોવિડ-19 પછી ડિજિટાઈઝેશનની શોધે ઘણા બધા રોકાણકારોને ડિજિટલ મોડમાં રોકાણ કરવા અને પોર્ટફોલિયો ડાઈવેસ્ટ કરવાનું પસંદ કરવા માટે પ્રેરિત કર્યા છે.
1) ફિઝિકલ ગોલ્ડ – રોકાણકારો સોનું ખરીદી કરવા માટે પસંદ કરે તે એક સૌથી આસાન રીત ફિઝિકલ ગોલ્ડ છે. રોકાણકારો નામાંકિત જ્વેલર પાસેથી સોનાની જ્વેલરી અથવા સિક્કા /લગડી ખરીદી શકે છે.
I. રોકાણકારો મૂલ્યનો ભંડાર માનીને પ્રત્યક્ષ સોનું ખરીદી કરવાનો વિચાર કરતા હોય છે. તેઓ ઘરમાં, સ્ટોરેજ સુવિધા અથવા બેન્કના વોલ્ટમાં કોઈ પણ સમયે જઈને તેમનું સોનું જોઈને મનની શાંતિ કરી લે છે.
II. વળી, કમાણીના અહેવાલો, ડિવિડંડમાં બદલાવ અને વ્યાજની ચુકવણી વિશે તેમને ખરેખર ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
III. લિક્વિડિટી - પ્રત્યક્ષ સોનપં પૃથ્વી પર ગમે ત્યાં બહુ આસાનીથી રોકડમાં લિક્વિડેટ કરી શકાય છે.
IV. હેક નહીં થઈ શકે - તમને તમારા હાથોમાં સોનાના સિક્કા કે જ્વેલરી પકડવા માટે વીજ કે ઈન્ટરનેટની જરૂર હોતી નથી. તે હેક કે ડિલીટ નહીં કરી શકાય.
V. વારસદારો માટે આદર્શ એસેટ – રોકાણકાર પ્રત્યક્ષ સોનામાં રોકાણ કરે ત્યારે તેઓ તે આસાનીથી તેમના સંતાન અથવા પૌત્રો માટે છોડી જઈ શકે છે.
VI. નાણાંની બચત કરવાની આસાન રીત- પ્રત્યક્ષ સોનામાં રોકાણ ભવિષ્ય માટે નાણાં બચાવવામાં તમને મદદ કરી શકે છે, જ્યારે લાંબે ગાળે તમે નોંધપાત્ર વળતરો કમાણી પણ કરી શકો છો.
I. પ્રત્યક્ષ સોનું જો બેન્કના લોકરમાં રાખવામાં ,આવે તો અમુક તબક્કે સ્ટોરેજ ખર્ચ લાગુ થાય છે.
II. પ્રત્યક્ષ સોનું વ્યાજ /ડિવિડંડ જેવી કોઈ પણ સ્થિર આવક પૂરી પાડતું નથી.
III. જ્વેલરી ખરીદી કરવાથી પણ ઘડામણ શુલ્ક તેમ જ વેસ્ટેજ લાગુ થાય છે.
I. ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં રોકાણ કરો.
II. સોવરેન ગોલ્ડ બોન્ડ્સની ખરીદી.
નિપ્પોન ગોલ્ડ ઈટીએફ, એસબીઆઈ ગોલ્ડ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ ગોલ્ડ ઈટીએફ, ઈન્વેસ્કો ઈન્ડિયા ગોલ્ડ ઈટીએફ, એચડીએફસી ગોલ્ડ ઈટીએફ ભારતમાં ટોપ 5 ગોલ્ડ ઈટીએફ છે.
એનએસઈ અને બીએસઈ પર લિસ્ટેડ અને ટ્રેડિંગ થાય છે.
કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ થાય છે.
ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનાની ખરીદી /રિડીમ
રિડીમ કરતી વખતે પ્રત્યક્ષ સોનું નહીં પણ સમકક્ષ મૂલ્યની રોકડ મળે છે
ઈટીએફ પ્રત્યક્ષ સોનામાં રોકાણની તુલનામાં બહુ ઓછો ખર્ચ ધરાવે છે.
સોનાની શુદ્ધતાની બાંયધરી મળે છે.
દરેક યુનિટ ઉચ્ચ શુદ્ધતાના પ્રત્યક્ષ સોનાનો આધાર ધરાવે છે.
પારદર્શક અને અસલ સમયની સોનાની કિંમતો.
શેરબજાર પર લિસ્ટેડ અને ટ્રેડિંગ.
સોનું ધરાવવાની કર કાર્યક્ષમ રીત, કારણ કે તેમાંથી કમાવવામાં આવતી આવક લાંબા ગાળાનો મૂડીલાભ તરીકે ગણવામાં આવે છે.
વેલ્થ ટેક્સ નહીં, સિક્યુરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ નહીં, વેટ નહીં અને સેલ્સ ટેક્સ નહીં.
ચોરીનો ડર નહીં- સુરક્ષિત અને સંરક્ષિત, કારણ કે યુનિટ્સ ડિમેટમાં હોય છે. સેફ ડિપોઝિટ લોકર શુલ્કથી પણ બચી જવાય છે.
ઈટીએફ લોન માટે કોલેટરલ તરીકે સ્વીકારવામાં આવે ચે.
એન્ટ્રી અને એક્ઝિટ લોડ નહીં.
તે શેરબજારમાં વેચી શકાય છે.
ડિમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ.
લિક્વિડેટ કરવામાં આવે ત્યારે સોનાની ઘરઆંગણાની બજારકિંમતે નાણાં મળે છે.
એએમસી ઈટીએફમાં 1 કિલોની સમકક્ષ અથવા તેના ગુણાંકમાં પ્રત્યક્ષ સ્વરૂપમાં ગોલ્ડ ઈટીએફ યુનિટ્સનું રિડેમ્પશન પણ મંજૂર કરે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ્સ સોનામાં ડિજિટલ રોકાણ કરવાની એક રીત છે. આ બોન્ડ્સ ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. આ બોન્ડ્સ 1 ગ્રામના બેઝિટ યુનિટ સાથે સોનાના ગ્રામના ગુણાંકમાં મૂલવવામાં આવે છે.
બોન્ડની મુદત 8 વર્ષનો સમયગાળો છે, જેમાં વ્યાજની ચુકવણીની તારીખો પર 5મા, 6ઠ્ઠા, 7મા વર્ષમાં એક્ઝિટ કરવાનું અપનાવી શકાય છે. લઘુતમ મંજૂર મર્યાદા 1 ગ્રામ સોનું છે અને વ્યક્તિ દીઠ મહત્તમ મંજૂર મર્યાદા 4 કિલો, એચયુએફ માટે 4 કિલો અને ટ્રસ્ટો અને સમયાંતરે સરકાર દ્વારા સૂચિત નાણાકીય વર્ષ દીઠ (એપ્રિલ- માર્ચ) આવી જ સંસ્થાઓ માટે 20
કિલો છે.
રિડેમ્પશન કિંમત આઈબીજેએ દ્વારા પ્રસિદ્ધ ગત 3 કામકાજના દિવસની 999 શુદ્ધતાના સોનાની બંધ કિંમતની સહજ સરેરાશને આધારે ભારતીય રૂપિયામાં રહેશે. રોકાણકારોને નજીવા મૂલ્ય પર અર્ધવાર્ષિક ચૂકવવાપાત્ર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે ભરપાઈ કરાશે. બોન્ડ્સ આરબીઆઈ દ્વારા સૂચિત તારીખે જારી કર્યાના પખવાડિયામાં શેરબજાર પર ટ્રેડ કરી
શકાય છે.
આ વિકલ્પમાંથી રોકાણકારો તેમની જરૂરત અને જોખમભૂખને આધારે રોકાણ કરવાનું પસંદ કરી શકે છે. રોકાણકારોને અમારી સલાહ બહેતર ડાઈવર્સિફિકેશન માટે સોનામાં તેમના પોર્ટફોલિયોના કમસેકમ 10 ટકા રોકાણ કરવાની છે.
(શ્રી પ્રથમેશ માલિયા દ્વારા, ડીવીપી રિસર્ચ, નોન- એગ્રો કોમોડિટીઝ અને કરન્સી, એન્જલ વન લિ.)
પીયૂષ ગોયલે યુકેની ચૂંટણી પછી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પ્રગતિની ખાતરી આપી છે જ્યારે ભારત-EU વેપાર વાટાઘાટોને આગળ વધારીને, ભારતના આર્થિક વિકાસને મજબૂત બનાવશે.
ભારતમાં, સામાન્ય માણસ પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી સરકારી બચત યોજનાઓમાં નાની બચત કરવાનું પસંદ કરે છે. બજેટ પહેલા જ સરકારે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જાણો કઈ સ્કીમ પર સરકાર કેટલું વ્યાજ આપશે...
જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે.