વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર 5 થી 8 માર્ચ દરમિયાન દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાતે
નવી દિલ્હીમાં આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ડો. જયશંકર મુલાકાતના પ્રથમ તબક્કામાં સિઓલ જશે. તેઓ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો તાઈ-યેલ સાથે 10મી ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.
વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર 5 થી 8 માર્ચ સુધી દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત લેશે. નવી દિલ્હીમાં આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ડો. જયશંકર મુલાકાતના પ્રથમ તબક્કામાં સિઓલ જશે. તેઓ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો તાઈ-યેલ સાથે 10મી ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર દક્ષિણ કોરિયાના મહાનુભાવો, અગ્રણી વિચારકો અને ભારતીય સમુદાયને પણ મળશે.
ડૉ. જયશંકર તેમની જાપાન મુલાકાત દરમિયાન જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા સાથે 16મી ભારત-જાપાન વિદેશ મંત્રી વ્યૂહાત્મક સંવાદમાં ભાગ લેશે. ડો. જયશંકર ટોક્યોમાં પ્રથમ રાયસીના રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. ગોળમેજી પરિષદ એ ભારત અને જાપાન વચ્ચેના આદાન-પ્રદાનને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.