પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ફેમિલી સેફ્ટી સેમિનારનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ફેમિલી સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓમાં સેફ્ટી અંગે જાગૃતિ લાવવા, ફરજ પર હોય ત્યારે સજાગતા અને સતર્કતા સાથે કામ કરવા અને પરિવારના સભ્યો પર પડતા પ્રભાવ અને તેના ઉકેલ માટે આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મંડળ દ્વારા ફેમિલી સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓમાં સેફ્ટી અંગે જાગૃતિ લાવવા, ફરજ પર હોય ત્યારે સજાગતા અને સતર્કતા સાથે કામ કરવા અને પરિવારના સભ્યો પર પડતા પ્રભાવ અને તેના ઉકેલ માટે આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા અને અધિકારીઓ દ્વારા આ સમયગાળા દરમિયાન, સિગ્નલ લોકેશન બુકનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ સિગ્નલ લોકેશન બુકમાં ડિવિઝનના તમામ સિગ્નલોની માહિતી સાથે, ડી એફ સી સેકશન ના સિગ્નલોની માહિતી પણ દર્શાવવામાં આવી છે. જે રનિંગ સ્ટાફ ને કામ આવનારી ઉપયોગી માહિતી છે.
શ્રી શર્મા અને હાજર અધિકારી દ્વારા રનિંગ સ્ટાફના પરિવાર સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. સલામતી સેમિનારમાં રનિંગ સ્ટાફ અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્ટાફ અને પરિવારના સભ્યો પાસેથી રનિંગ માં કોઈપણ પ્રકારની સમસ્યા, પરેશાની અને સૂચનો અંગે માહિતી લીધી હતી. આ સેમિનારમાં સુરક્ષિત ટ્રેન સંચાલન માટે રનિંગ સ્ટાફ માટે ઘરનું સારું અને તણાવમુક્ત વાતાવરણ, રનિંગ સ્ટાફ દ્વારા ટ્રેન સંચાલન દરમિયાન કરવામાં આવતી સલામતી સંબંધિત સારી કામગીરી અને ટ્રેન સંચાલન દરમિયાન સમય ઉપલબ્ધ હોય ત્યારે સ્વાસ્થ્ય પર આધારિત ટૂંકી યોગા ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
ડીઆરએમ શ્રી શર્માએ જણાવ્યું કે અમદાવાદ મંડળ પશ્ચિમ રેલવેમાં પ્રથમ ક્રમે છે. તેને જાળવવામાં રનિંગ સ્ટાફ મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં સમગ્ર દેશમાં રેલવેની પ્રગતિની ગતિ ઝડપથી વધી રહી છે. આપણે પણ આપણું કામ ઈમાનદારીથી કરીને આગળ વધવું જોઈએ અને દેશ અને રેલ્વેની પ્રગતિ માટે કદમ થી કદમ મીલાવીને કામ કરવું જોઈએ.
આ સેમિનારમાં સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી જગદંબા પ્રસાદ અને મંડળ ના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.