સ્પેનના વેલેન્સિયા શહેરમાં બે ઈમારતોમાં આગ, અનેક લોકોના મોતના સમાચાર, 19 લાપતા
સ્પેનના વેલેન્સિયા શહેરમાં બે ઈમારતોમાં આગ ફાટી નીકળી હતી. આગ સંભવતઃ 14 માળની રહેણાંક ઇમારતમાંથી શરૂ થઈ. અગ્નિશામકોએ ક્રેનનો ઉપયોગ કરી બે લોકોને બાલ્કનીમાંથી સલામત રીતે નીચે ઉતાર્યા હતા.
સ્પેન: સ્પેનના પૂર્વીય શહેર વેલેન્સિયામાં ગુરુવારે બે રહેણાંક મકાનોમાં આગ ફાટી નીકળ્યા બાદ ચાર લોકોના મોત થયા છે અને અન્ય 19 લોકો ગુમ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગ લાગ્યા બાદ બિલ્ડિંગમાં રહેતા લોકો ભાગવા લાગ્યા અને ફાયર બ્રિગેડના જવાનોએ તેમાંથી કેટલાકના જીવ બચાવ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે આગ સંભવતઃ 14 માળની રહેણાંક ઇમારતમાં લાગી હતી. અગ્નિશામકોએ ક્રેનનો ઉપયોગ કરીને બે લોકોને બાલ્કનીમાંથી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. વેલેન્સિયાના સહાયક કટોકટી સેવાઓના નિર્દેશક જોર્જ સુઆરેઝે પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. સ્પેનના મિલિટરી ઈમરજન્સી સર્વિસ યુનિટના કર્મચારીઓને પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્યની સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે આગ સાંજે શરૂ થઈ હતી અને બાજુની ઇમારતમાં પણ ફેલાઈ હતી. ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર ચાર મોત ઉપરાંત ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં છ ફાયર ફાઇટર પણ સામેલ છે. હાલ એ સ્પષ્ટ નથી થયું કે ઘટના સમયે બંને ઈમારતોમાં કેટલા લોકો હતા અથવા કેટલા લોકોને બચાવી લેવાયા હતા.
સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વેલેન્સિયામાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગથી તેઓ આઘાતમાં છે. તેમણે કહ્યું "હું તમામ પીડિતો સાથે મારી એકતા વ્યક્ત કરું છું."
મુંબઈની સ્પેશિયલ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે ભાગેડુ માલ્યાએ 2007 અને 2012 વચ્ચે જાણીજોઈને લોનની ચુકવણી કરી ન હતી.
નવા કર વધારા સામે કેન્યામાં તાજેતરના સરકાર વિરોધી વિરોધમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે અને 361 ઘાયલ થયા છે.
પાકિસ્તાનની રાવલકોટ જેલમાંથી 18 ખતરનાક કેદીઓ ભાગી ગયા છે. રાવલકોટ જેલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી છે. ભાગતી વખતે ગોળી વાગતાં એક કેદીનું મોત થયું છે.