રાજ્ય સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમના રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં IIMના પાંચ યુવાઓ સહયોગ કરશે
ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમને રિબ્રાન્ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે.
ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમને રિબ્રાન્ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં આ યુવાઓએ સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી. ગરવી ગુર્જરી દ્વારા તાજેતરમાં આ પ્રોજેક્ટમાં કામ કરવા સહયોગ માટે દેશની પ્રીમિયમ મેનેજમેન્ટ કોલેજીસનો સંપર્ક કરવામાં આવેલો હતો.
તદઅનુસાર IIMના પાંચ અત્યંત સક્ષમ યુવાઓએ પાંચથી સાત સપ્તાહના સમયગાળા માટે આ પ્રોજેક્ટમાં કોઈ પણ વેતન માન લીઘા વિના મદદરૂપ થવાની ઈચ્છા દર્શાવી છે.
આ યુવાઓમાં IIM અમદાવાદ ત્રણ અને બેંગાલુરૂના બે યુવાઓનો સમાવેશ થાય છે. આ યુવાઓ ગરવી ગુર્જરીના જે પ્રોજેક્ટમાં સહાયક બનવાના છે, તેમાં ઓનલાઇન વિઝિબિલિટી અને રીચ વધારવાના હેતુથી ડિઝીટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજી, બ્રાન્ડ પોઝિશનીંગ અને કોમ્પિટિશન તથા રિબ્રાન્ડિંગ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ઉપભોક્તા વર્તણૂક અને વિશ્લેષણ જેવા ગહન વિષયો આવરી લીધા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ યુવાઓએ પોતાના પ્રોજેક્ટ કાર્ય વિશે માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તેમના યોગદાનની સરાહના કરતા ગ્રામીણ કારીગરોની બનાવટ સહિતના ગરવી ગુર્જરીના ઉત્પાદનોના વેચાણ માટેની વ્યવસ્થાઓને સમયાનુકુલ અદ્યતન બનાવવામાં આ યોગદાન ઉપયુક્ત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કુટિર ઉદ્યોગ સચિવ શ્રી પ્રવીણ સોલંકી તેમજ ગરવી ગુર્જરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંધુ અને અધિકારીશ્રીઓ આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યા પછી, સુરત આ પ્રતિષ્ઠિત દરજ્જાને જાળવી રાખવાની સતત જવાબદારીનો સામનો કરે છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર સ્વચ્છતાનું દીવાદાંડી બની રહે તે માટે સક્રિયપણે ભાગ લીધો છે.
સુરેન્દ્રનગરના પરલી ગામમાં પિતાએ પોતાની પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઇજા પહોંચાડી, ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી જવાની કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કે. કૈલાશનાથન, તેમના નિવૃત્ત મુખ્ય અગ્ર સચિવ, 2006 થી તેમની અનુકરણીય સેવા બદલ સન્માન કરે છે. કૈલાશનાથનની પ્રભાવશાળી કારકિર્દી અને યોગદાન વિશે જાણો.