નાંદોદ તાલુકામાં બળજબરીથી ધ્વજ પ્રદર્શિતઃ હર ઘર તિરંગા અભિયાન હેઠળ 300 ત્રિરંગાનું ફરજિયાત સંપાદન ચિંતામાં મૂકાયું
તાલુકા પંચાયત માંથી 300 ત્રિરંગા લેવા દબાણ કરાયું છે પરંતુ અમુક ગામોમાં આટલા તો ઘર પણ નથી તો આટલી મોટી સંખ્યામાં ત્રિરંગા લઈ તેના રૂપિયા કોણ ચૂકવશે..?
(પ્રતિનિધિ ભરત શાહ)રાજપીપળા : દેશની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં હોવાથી ગયા વર્ષે સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ ની ઉજવણી હેઠળ હર ઘર તિરંગાનું અભિયાન ચલાવવા માં આવ્યું હતું.આ અભિયાન હેઠળ લોકોને પોતાના ઘર પર તિરંગો અને લાકડી મફતમા આપવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે એ માટે પચીસ રૂપિયા લેવામાં આવનાર છે ત્યારે આ અભિયાનમાં હવે કેટલાક જિલ્લાઓમાં ગ્રામપંચાયતો પર વધુ ત્રિરંગા લેવા પડશે તેવું દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે
જેમાં વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતો માં કેટલીક ગ્રામપંચાયતો માં ફરજિયાત 300 તિરંગા લેવાનું દબાણ તાલુકા પંચાયત તરફથી થઈ રહ્યું હોવાની વાત જાણવા મળતા આ મુદ્દે અમે ટીડીઓ અંજલીબેન ચૌધરી સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવ્યું કે ઉપરથી એમને માંગણી કરતા વધારે ત્રિરંગા આપેલા છે,માટે બધાને આપ્યા છે બાકી ફરજિયાત નથી,આતો દેશભક્તિ નું કામ છે પણ હું હમણાં મિટિંગ માં જાઉં છું માટે પછી વાત કરું છું તેમ કહી વાત અધૂરી મૂકી હતી.
ત્યારે કેટલીક ગ્રામ પંચાયત માંથી જાણવા મળ્યા મુજબ તાલુકા પંચાયત માંથી 300 ત્રિરંગા લેવા દબાણ કરાયું છે પરંતુ અમુક ગામોમાં આટલા તો ઘર પણ નથી તો આટલી મોટી સંખ્યામાં ત્રિરંગા લઈ તેના રૂપિયા કોણ ચૂકવશે..? એક ત્રિરંગા ની કિંમત 25 રૂપિયા ચૂકવવી પડે છે તો ગામમાં ઘર દીઠ એક ત્રિરંગો ખરીદે તે મુજબ નો જથ્થો આપે તો પણ યોગ્ય ગણાય અને એમાં પણ દરેક ઘર નાં લોકો રૂપિયા ખર્ચી ત્રિરંગો લે તેવું પણ દબાણ નાં કરી શકાય તો વધારાના ત્રિરંગા નાં રૂપિયા કોણ ચૂકવશે તેવા સવાલ સાથે ગ્રામ પંચાયત વાળા મૂંઝવણ માં મુકાયા છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.