નાંદોદ તાલુકામાં બળજબરીથી ધ્વજ પ્રદર્શિતઃ હર ઘર તિરંગા અભિયાન હેઠળ 300 ત્રિરંગાનું ફરજિયાત સંપાદન ચિંતામાં મૂકાયું
તાલુકા પંચાયત માંથી 300 ત્રિરંગા લેવા દબાણ કરાયું છે પરંતુ અમુક ગામોમાં આટલા તો ઘર પણ નથી તો આટલી મોટી સંખ્યામાં ત્રિરંગા લઈ તેના રૂપિયા કોણ ચૂકવશે..?
(પ્રતિનિધિ ભરત શાહ)રાજપીપળા : દેશની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં હોવાથી ગયા વર્ષે સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ ની ઉજવણી હેઠળ હર ઘર તિરંગાનું અભિયાન ચલાવવા માં આવ્યું હતું.આ અભિયાન હેઠળ લોકોને પોતાના ઘર પર તિરંગો અને લાકડી મફતમા આપવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે એ માટે પચીસ રૂપિયા લેવામાં આવનાર છે ત્યારે આ અભિયાનમાં હવે કેટલાક જિલ્લાઓમાં ગ્રામપંચાયતો પર વધુ ત્રિરંગા લેવા પડશે તેવું દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે
જેમાં વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતો માં કેટલીક ગ્રામપંચાયતો માં ફરજિયાત 300 તિરંગા લેવાનું દબાણ તાલુકા પંચાયત તરફથી થઈ રહ્યું હોવાની વાત જાણવા મળતા આ મુદ્દે અમે ટીડીઓ અંજલીબેન ચૌધરી સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવ્યું કે ઉપરથી એમને માંગણી કરતા વધારે ત્રિરંગા આપેલા છે,માટે બધાને આપ્યા છે બાકી ફરજિયાત નથી,આતો દેશભક્તિ નું કામ છે પણ હું હમણાં મિટિંગ માં જાઉં છું માટે પછી વાત કરું છું તેમ કહી વાત અધૂરી મૂકી હતી.
ત્યારે કેટલીક ગ્રામ પંચાયત માંથી જાણવા મળ્યા મુજબ તાલુકા પંચાયત માંથી 300 ત્રિરંગા લેવા દબાણ કરાયું છે પરંતુ અમુક ગામોમાં આટલા તો ઘર પણ નથી તો આટલી મોટી સંખ્યામાં ત્રિરંગા લઈ તેના રૂપિયા કોણ ચૂકવશે..? એક ત્રિરંગા ની કિંમત 25 રૂપિયા ચૂકવવી પડે છે તો ગામમાં ઘર દીઠ એક ત્રિરંગો ખરીદે તે મુજબ નો જથ્થો આપે તો પણ યોગ્ય ગણાય અને એમાં પણ દરેક ઘર નાં લોકો રૂપિયા ખર્ચી ત્રિરંગો લે તેવું પણ દબાણ નાં કરી શકાય તો વધારાના ત્રિરંગા નાં રૂપિયા કોણ ચૂકવશે તેવા સવાલ સાથે ગ્રામ પંચાયત વાળા મૂંઝવણ માં મુકાયા છે.
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યા પછી, સુરત આ પ્રતિષ્ઠિત દરજ્જાને જાળવી રાખવાની સતત જવાબદારીનો સામનો કરે છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર સ્વચ્છતાનું દીવાદાંડી બની રહે તે માટે સક્રિયપણે ભાગ લીધો છે.
સુરેન્દ્રનગરના પરલી ગામમાં પિતાએ પોતાની પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઇજા પહોંચાડી, ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી જવાની કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કે. કૈલાશનાથન, તેમના નિવૃત્ત મુખ્ય અગ્ર સચિવ, 2006 થી તેમની અનુકરણીય સેવા બદલ સન્માન કરે છે. કૈલાશનાથનની પ્રભાવશાળી કારકિર્દી અને યોગદાન વિશે જાણો.