ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામા વરસાદ થવાની કરાયેલી આગાહી
જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન ૨૦૨૩ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના
ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન ૨૦૨૩ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે. જે અનુસાર તા. ૧૨ અને ૧૩ જૂન ૨૦૨૩ સુધી નર્મદા જિલ્લામાં ગાજવીજ અને અંદાજે ૩૦-૪૦ કી.મી. પ્રતિ/કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યકત કરાઈ છે.
જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ કેટલાક તકેદારીના પગલાં લેવા આવશ્યક હોવાનુ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા માર્ગદર્શિકા જારી કરાઇ છે જેમાં
શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા, તૈયાર પેદાશો, ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત રાખવા માટે તમામ તાલુકા નોડલ અધિકારીશ્રીએ તેઓને ફાળવેલ તાલુકાના સંબંધિત મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે સંકલન કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ જોડે જરૂરી સંકલન કરી તકેદારીની જરૂરી વ્યવસ્થા ગોઠવવા તેમજ આપના વિસ્તારમાં અનિચ્છનીય ઘટના બને ત્યારે તાત્કાલિક (૦૨૬૪૦-૨૨૪૦૦૧) પર સંપર્ક કરવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.