એસ. જયશંકરે સિઓલમાં ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની 10મી બેઠકની સહ-અધ્યક્ષતા કરી
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે સિયોલમાં દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો તાઈ-યેલ સાથે 10મી ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરી.
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે સિયોલમાં દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો તાઈ-યેલ સાથે 10મી ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરી. ડો. જયશંકરે આ બેઠકને વ્યાપક અને ઉપયોગી ગણાવી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધો, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, વેપાર અને વ્યાપાર, લોકો વચ્ચે વિચારોના આદાન-પ્રદાન અને સાંસ્કૃતિક સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી.
ડો. જયશંકરે ત્રિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ ઈન્ડો-પેસિફિકના વિકાસ, ક્ષેત્રમાં પડકારોની સમાનતા અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
વિદેશ મંત્રી ડૉ. જયશંકરે આજે ગિમ્હે શહેરના મેયર હોંગ તાઈ-યોંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે ગિમ્હે-અયોધ્યા જોડાણમાં સહિયારી સાંસ્કૃતિક વારસો અને લાંબા સમયથી લોકો વચ્ચેના સંબંધો જોવા મળ્યા છે. બંને નેતાઓએ ગિમ્હે શહેર સાથે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી.
મુંબઈની સ્પેશિયલ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે ભાગેડુ માલ્યાએ 2007 અને 2012 વચ્ચે જાણીજોઈને લોનની ચુકવણી કરી ન હતી.
નવા કર વધારા સામે કેન્યામાં તાજેતરના સરકાર વિરોધી વિરોધમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે અને 361 ઘાયલ થયા છે.
પાકિસ્તાનની રાવલકોટ જેલમાંથી 18 ખતરનાક કેદીઓ ભાગી ગયા છે. રાવલકોટ જેલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી છે. ભાગતી વખતે ગોળી વાગતાં એક કેદીનું મોત થયું છે.