એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારનું નિ:શુલ્ક હૃદય નિદાન, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા આયોજન
વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા એકતાનગર ખાતે એક ખાસ હૃદય નિદાન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારના સભ્યોનું નિ:શુલ્ક હ્રદય નિદાન કરીને તેમને જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
નર્મદા: વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા એકતાનગર ખાતે એક ખાસ હૃદય નિદાન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારના સભ્યોનું નિ:શુલ્ક હ્રદય નિદાન કરીને તેમને જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં યુનિટિ પરીવારના 150થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. આ નિદાન અંતર્ગત ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી (ECG), રેન્ડમ બ્લડ સુગર (RBS) અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) મૂલ્યાંકન કરીને અનુભવી તબીબોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
સમાજની સુખાકારી અને આરોગ્ય સંભાળ પ્રત્યે પ્રતિબદ્ધ વ્યકત કરીને હોસ્પીટલ દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. સમયાંતરે આરોગ્ય તપાસ અને હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિના મહત્વને તે દર્શાવે છે. સમાજના આરોગ્ય અને સુખાકારી તરફની આ પહેલમાં સક્રિય ભાગીદારી બદલ, હોસ્પિટલે સ્ટેચ્યુ ઓફ યુનિટિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન, સીઇઓ શ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેઓ સ્વાસ્થ્ય સંબંધિત પહેલના મહત્વ પર હંમેશા ભાર મુકે છે.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) તરફથી અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા નાયબ કલેકટર સર્વશ્રી દર્શક વિઠલાણી, શ્રી શિવમ બારીયા, શ્રી અભિષેક સિન્હા, અને એકાઉન્ટ ઓફીસરશ્રી ઋષિકેશ દવે સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હૃદયના સ્વાસ્થ્ય અને સંભાળ અંગે સમાજમાં જાગરૂકતા લાવવા બદલ હોસ્પિટલના કાર્યોની સરાહના કરી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.