લીમખેડા ના પોલીસીમળ થી અંબાજી પગ પાળા સંઘ રવાના, આજે સંઘ માલપુર સુધી પહોંચીયો
લીમખેડાના પોલિસીમાળથી અંબાજી સુધીની યાત્રાના 7મા દિવસે પગપાળા યાત્રાળુઓનો સમૂહ પગપાળા સંઘ આજે માલપુર પહોંચ્યો હતો. સંઘનું નેતૃત્વ પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન મંગુભાઈ મુનીયા કરી રહ્યા છે.
દિપક રાવલ દાહોદ: જય મા અંબે ગ્રુપ પોલીસીમળ આયોજિત પગપાળા યાત્રા સંઘ પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુ ભાઈ મુણીયા ની આગેવાની હેઠળ બોલ માડી અંબે જય જય અંબે ના જય ઘોષ સાથે અંબાજી જવા રવાના થયો હતો દર વર્ષે નીકળતા આ સંઘ મા આ વર્ષે 100 થી વધારે માય ભક્તો જોડાયા છે જેઓ ડી જે ના તાલે મા અંબે નું હોલરડું વગાડી વાજતે ગાજતે નાચ ગાન કરી માતાજી ની આરાધના કરતા કરતા અંબાજી પહોંચશે આજ નીકળેલ સંઘ 7 દિવસે કુળદેવી અંબાજી પહોંચી મા અંબા ના દર્શન કરશે અને 8 મા દિવસે ધજા ચડાવશે
આ સંઘ મા દરેક પગ પાળા યાત્રાળુઓ માટે ચા નાસ્તો સુવાની વ્યવસ્થા દવાઓ સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે સંઘના મુખ્ય આયોજક પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુભાઈ મુણીયા પ્રભારી વિનોદ તડવી પાલ રીન્કુ ભાઈ સર્વ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી છે આ સંઘ અંબાજી પહોંચી ગયા બાદ ત્યાં વિશાલ ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવશે ત્યારબાદ બધા ભક્તો મળીને કુળદેવી માં અંબાના દર્શન કરી ને માતાજીના પ્રસાદીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવશે.
નવા વાઈરસના ઉદભવને કારણે ભારતમાં લોકો હાઈ એલર્ટ પર છે, જેમાં તાજેતરની ચિંતા ચાંદીપુરા વાયરસ છે, જે ગુજરાતના સાબરકાંઠા અને અરવલી જિલ્લાઓમાં તકલીફનું કારણ બની રહ્યું છે.
29 જૂનના રોજ, રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી હતી. 4 જુલાઈના રોજ ભારત પરત ફર્યા બાદ ટીમે ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો. વિજયમાં મુખ્ય ખેલાડી હાર્દિક પંડ્યા તેના વતન વડોદરા પહોંચ્યો હતો, જ્યાં ચાહકોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ગુજરાતમાં અત્યાર સુધીમાં આ વાયરસના ચેપના 17 કેસ નોંધાયા છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના આઠ શકમંદો હાજર થયા છે. પાંચ દર્દીઓના મોતથી સમગ્ર વહીવટીતંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે.