GCS Hospitalએ અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી
જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે
જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે. આજે, વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ પર, જીસીએસ હોસ્પિટલ દ્વારા રોગોના ફેલાવાને રોકવા માટે આપણા હાથને સ્વચ્છ રાખવાનું શું મહત્વ છે. તે સમજાવામાં આવ્યું. જેમાં ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી
હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી જંતુઓને મારવામાં અને ચેપનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.
નિયમિત હાથની સ્વચ્છતા આપણને ફલૂ, સામાન્ય શરદી અને ખોરાકજન્ય રોગોથી બચાવે છે. હાથની સ્વચ્છતાને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવી જરૂરી છે, ખાસ કરીને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, જમતા પહેલા અને જાહેર સ્થળોએ ગયા પછી. સીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા હાથની સ્વચ્છતા માટે કાલુપુર રેલ્વે સ્ટેશન પર ૧૫૦થી વધુ લોકોને કેવી રીતે હાથ ને સ્વચ્છ રાખવા તે માટે ના ૭ સ્ટેપ સમજાવ્યા જેમાં કુલી, રેલ્વે કર્મચારી, રેલ્વે પોલીસ તેમજ મુસાફરોએ ભાગ લીધો. આ ઉપરાંત ભાગ લીધેલા લોકો પાસે હાથની સ્વછતા માટે સંકલ્પ કરાવ્યો. યાદ
રાખો, સ્વચ્છ હાથ જીવન બચાવે છે!
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી