જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલના દિવસે સફાઈ કર્મચારીઓ માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે સેમિનાર યોજાયો
જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલ ના દિવસે સફાઈ કર્મચારી માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં 60+ સફાઈ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.
જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલ ના દિવસે સફાઈ કર્મચારી માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં 60+ સફાઈ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.
જીસીએસ હોસ્પિટલના મેડિસિન વિભાગના નિષ્ણાત ડૉ. મિહિર ત્રિવેદી દ્વારા લાંબા અને ટૂંકા ગાળા ના રોગો, પ્રાથમિક આરોગ્ય, અને સ્વાસ્થ્ય ની કાળજી રાખવા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાત ડોક્ટર દ્વારા સફાઈ કર્મચારીને તેમના રોજિંદા કામકાજ થી થતા રોગો અને એ રોગો થી બચવા માટે રાખવામાં આવતી સાવચેતીઓ થી જાગૃત કરવામાં આવ્યા હતા.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.