જીટીયુ જીપેરીને ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે AICTEની માન્યતા મળી
AICTEના તમામ પ્રકારના ધરાધોરણોમાં ખરી ઉતરીને જીટીયુ જીપેરીને ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. જે ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લાભદાયી થશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સંચાલિત ગુજરાત પાવર એન્જિનીયરીંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) સમક્ષ જીપેરી ખાતે ડિપ્લોમા કોર્સીસ માટેની માન્યતા પ્રાપ્ત કરવા માટે અરજી કરવામાં આવેલ હતી. જેના ઉપલક્ષે તાજેતરમાં જ AICTEના તજજ્ઞો દ્વારા સ્થળ ચકાસણી કરીને તમામ પ્રકારની વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સુવિધાને ધ્યાને લઈને સિવિલ,મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ અને કૉમ્પ્યુટર એન્જિનિરીંગની 4 બ્રાન્ચ માટે ડિપ્લોમા કોર્સીસ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , AICTEના તમામ પ્રકારના ધરાધોરણોમાં ખરી ઉતરીને જીટીયુ જીપેરીને ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. જે ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લાભદાયી થશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન.ખેરે જીપેરીના પ્રિન્સિપાલ ડૉ. ચીરાગ વિભાકર , કો-ઓર્ડિનેટર્સ ડૉ. જે. બી. પટેલ અને ડૉ. ઉત્સવ ગઢીયા સહિત સમગ્ર ટીમને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
AICTE દ્વારા જીપેરી ખાતે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કૉમ્પ્યુટર એન્જિનિયરીંગમાં પ્રતિ બ્રાન્ચ 60 એમ કુલ મળીને 240 સીટ્સ ફાળવવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
જીટીયુ જીપેરી અવિરતપણે પ્રગતિના પંથે આગળ વધી રહી છે ત્યારે, ડિપ્લોમા કોર્સીસની માન્યતા મળવાથી ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ ખૂબજ લાભદાયી નિવડશે. જેના કારણોસર તેઓને અભ્યાસઅર્થે વતનથી દૂર જવું નહીં પડે. અદ્યતન હોસ્ટેલની સુવિધા ,પરિવહન તેમજ દરેક પ્રકારની સરકારી નિયમોનુસાર મળતી સ્કૉલરશીપ અને જીટીયુની મેરીટ બેઝ્ડ સ્કૉલરશીપનો લાભ પણ આ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે.
અલ્હાબાદ બેન્કના ચેક બાઉન્સ કેસમાં બી આર ટ્રેડિંગના માલિક ભૂપેન્દ્ર પટેલને 12 મહિનાની સજા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં એડવોકેટ શ્રી નાનુભાઈ બ્રહ્મક્ષત્રિયની મહત્વની ભૂમિકા. અમદાવાદ કોર્ટના આ ચુકાદા વિશે સંપૂર્ણ વિગતો જાણો.
નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરેની કામગીરી માટે જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રક્રિયામાં ઝડપ અને યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ ટ્રાફિક સિગ્નલ પર વાહનો તેમજ રાહદારીઓને ટક્કર મારતા ત્રણ લોકોના મોત થયા હતા.