રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે રાજભવન પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પોતાનું યોગદાન આપવાના સંકલ્પ લેવડાવ્યા હતા.
રાજભવનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓએ દેશવાસીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા અને કાર્યોનો સંદેશ ફેલાવવાના સંનિષ્ઠ પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.