નર્મદા જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ
નર્મદા જિલ્લામાં તા.૨૬ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન તમામ તાલુકાઓના વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા. ૨૬ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન તમામ તાલુકાઓના વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
ગ્રામસભામાં પંચાયત વિકાસ સૂચકાંક અને તેના લાભો, ઉદ્દેશો, જરૂરિયાતો સહિત ગામ અને
ગ્રામજનોના સર્વાંગી વિકાસને આવરી લેનારા મુદ્દાઓ જેવા કે, ગરીબી મુક્ત અને રોજગારી ઉન્નત ગામ, સ્વસ્થ ગામ, આત્મનિર્ભર આધારરૂપ વ્યવસ્થા ધરાવતુ ગામ, સામાજિક રીતે સુરક્ષિત ગામ, પૂરતુ પાણી ધરાવતુ ગામ, સ્વચ્છ અને હરિયાળુ ગામ, મહિલા મૈત્રીપૂર્ણ ગામ, બાળ મૈત્રીપુર્ણ ગામ, સુશાસિત ગામ બનાવવા અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન યોજાયેલી ગ્રામસભામાં નાંદોદ
તાલુકામાં કુલ ૭૬, તિલકવાડા તાલુકામાં કુલ ૩૪, ગરૂડેશ્વર તાલુકામાં કુલ ૪૭, દેડીયાપાડા તાલુકામાં કુલ ૪૬ અને સાગબારા તાલુકામાં કુલ ૩૨ એમ કુલ મળીને ૨૩૫ જેટલી ગ્રામસભાઓ મળી હતી. જેમાં તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ, સંબંધિત અધિકારી-પ્રતિનિધિશ્રીઓ, CHO શ્રીઓ, ગ્રામસેવક સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.